SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ પ્રતાપ હોવાથી જાણે સાક્ષાત્ સૂર્ય જ હાય નહિ, મહા મુશ્કેલીએ પ્રાપ્ત થઇ શકે તેવા હોવાથી જાણે સાક્ષાત્ ચિંતામણિ રત જ હાય નહિ, અત્યંત નિર્મળ હોવાથી જાણે સાક્ષાત્ સ્ફટિક રન જ હાય નહિ, સર્વ સહન” કરવાની વિભૂતિ હેાવાને લીધે જાણે સાક્ષાત્ પૃથ્વીના ભાગ જ હાય નહિ, કાઇનું અવલંબન નહિ કરતા હેાવાથી જાણે સાક્ષાત્ આકાશના પ્રદેશ જ હાય નહિ તેવા, કેવળ જ્ઞાનરૂપ સૂર્યને ધારણ કરનાર વિવેક નામના આચાર્ય મહારાજ ત્યાં પધાર્યાં. તેમના આવવાના માર્ગઉપર દેવતાઓ અત્યંત આતુરતાથી નજર નાખીને રાહ જોઇ ઊભા રહ્યા હતા. ગંધહસ્તી” જેમ અનેક હાથણીઓના ટેાળાથી પરવરેલ હોય તેમ આ મહાધુરંધર આચાર્ય તેમના જેવા જ શાંતમૂર્તિ અનેક શિષ્યાથી પરવરેલા હતા. આચાર્ય મહારાજ ત્યાં પધાર્યા એટલે તુરતે જ નકકમળ ઉપર તેમને બીરાજમાન કરવામાં આવ્યા. ત્યાં આગળ હાથ જોડીને ઊભી રહેલી સભા તેઓશ્રીને યોગ્ય પ્રણામ નમસ્કાર–વંદના વિગેરે કરી રહી ત્યાર પછી સર્વ જમીનપર બેસી ગયા. કેવળી ભગવાન વિવેકાચાર્યે ત્યાર પછી વ્યાખ્યાન કરવાની શરૂઆત કરી. તે વખતે ભગવાનના પ્રતાપને સહન નહિ કરી શકવાથી મારા શરીરમાંથી હિંસા અને વૈશ્વાનર બહાર નીકળી ગયા અને મારાથી દૂર જઇને મારી રાહ જોવા લાગ્યા. ૧ પ્રતાપ લેષ છે: (૧) સૂર્ય પક્ષે તાપ; (૨) કેવળી પક્ષે-તેજ. ર ચિંતામણિ રત મળવું મુશ્કેલ છે; આવા મહાત્માનો યાગ થવા પણ ઘણા મુશ્કેલ છે. ૩ નિર્મળ શ્લેષ છે: (૧) સ્ફટિક પક્ષે-જેની આરપાર જોઇ શકાય તેવું; (ર) આચાર્ય પક્ષે-મેલ-દોષ વગરના, ૪ સર્વસહિષ્ણુતા શ્લેષ છે: (૧) જમીનપર ગમે તેવા ખો મૂકવામાં આવે તે તે સહન કરે છે; તેને ખાદે, કાપે, તેાડે, ફાડે તા પણ તે ગુસ્સે થતી નથી; (૨) આચાર્ય સર્વ પ્રકારના પરિહા-ઉપસર્ગો સહન કરે છે તેથી જ મીન પેઠે તેમનામાં પણ સર્વસહિષ્ણુતાના ભાવ છે. ૫ અવલંખન શ્લેષ છે: (૧) આકાશને કાઇના ટેકાને ખપ નથી; (૨) આચાર્ય નિરાલંબ ધ્યાન કરે છે; પેાતાના ોરથી જ મેાક્ષ પ્રાપ્ત કરે છે; કાઇના આલંબનની-ટેકાની અપેક્ષા રાખતા નથી. ૬ વિવેક આચાર્યને અહીં લઇ આવવામાં ગ્રંથકર્તાએ ધણી ખૂબિ કરી છે. સારા ખરાબનું જ્ઞાન એટલે વિવેક. એ જ્ઞાનની પ્રાણીને ઘણી જ જરૂર છે અને તેના વગર સર્વ પ્રયાસ લગભગ નકામા જેવા જ થાય છે. ૭ ગંધહસ્તી એવા આકર્ષક હાય છે કે તેની પછવાડે સકડા હાથણીએ પ્રેમથી ફર્યાં જ કરે છે. ટાળાબંધ હાથણીઓના તે પિત હેાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy