SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૯ ] ખૂનીક્રોધીના રખડપાટો, ૬૪૭ મારી સાથે સુતે. અરે અગૃહિતસંકેતા ! તે વખતે હિંસા અને વૈશ્વાનરે મારા મનને એટલું ચકડોળે ચઢાવ્યું હતું કે વિભાકર રાજા જેને મારા ઉપર આટલા બધા પ્રેમ અને વિશ્વાસ હતા તેને મેં પાપીએ રાત્રીમાં ઉઠીને નીચે પટકી પાડ્યો અને મારી નાખ્યા. ત્યાર પછી માત્ર શરીરપર એક જ વસ્ત્ર પહેરીને હું કનકપુર નગરથી બહાર નીકળી ગયા. કનકચૂડને આદર. કનકરશેખરના પ્રશ્ન. ખૂનના પ્રયત-બચાવ, કુશાવર્તપુરે. ભયંકર રાત્રીમાં એકલા બહાર નીકળી હું મોટી અટવીમાં આવી ચઢ્યો. ત્યાં મેં અનેક પ્રકારનાં દુ:ખો સહન કર્યાં. અનેક પ્રકારના લેશે. ખમતા છેવટે હું 'કુશાવર્તપુરે આવી પહોંચ્યા. બહાર ઉદ્યાનમાં રહ્યો ત્યાં મને કનકરશેખરના નાકર ચાકરાએ જોઇ લીધા તેથી તેણે મારા આવવાના સમાચાર મહારાજા નચૂડને અને યુવરાજ કનકરશેખરને આપ્યા. તેઓએ મનમાં વિચાર કર્યો કે નંદિવર્ધન કુમાર એકલો જ અહીં આવ્યા છે તેનું કાંઇ પણ કારણ હોવું જોઇએ. તેઓ પાતાના ખાસ માસના પરિવારને સાથે લઇને બન્ને મારી પાસે આવ્યા. ઉચિત માન અરસ્પરસ આપ્યું લીધું. ત્યાર પછી હું અને કનકરશેખર ઉત્સાકમાં સાથે બેડા પછી તેણે મને એકલા આવવાનું કારણ પૂછ્યું. મને વિચાર થયો કે આને પણ મારૂં ચરિત્ર પસંદ આવતું હોય એમ જણાતું નથી, માટે એવાને તે પેાતાની વાત શું કામ કરવી જોઇએ? તેથી મેં નકશેખરને કહ્યું · એ વાત જવા દે ! એમાં કાંઇ દમ નથી. ’ કનકરશેખરને આવેા જવાબ જરા વિચિત્ર લાગ્યા તેથી વળી બાલ્યા · અરે ભાઇ ! મને પણ તારી વાત ન કહેવાય? તું શું મારાથી આટલી બધી જૂદાઇ રાખે છે?' મેં જવાબમાં કહ્યું • ના ! એ વાત તે " 6 Jain Education International ૧ કુશાવર્તપુરઃ કનચ્ડ રાનની રાજધાની, કનકરશેખરનું ગામન્ત્યાં રહી નંદિવર્ધને લડાઇમા જીત મેળવી હતી અને કનકરશેખરની બહેન કનકમંજરીને પરણ્યા હતા તે તેના મામાનું શહેર. ૨ ઉત્સારકઃ એકાંત ગાખલેો. હવેલીની બહાર રવેશ ઝુલતા હાય તેમાં ગાલીચા નાખી Balcony જેવી બેસવાની જગ્યા. ૩ હજી સુધી જયસ્થળ નગરના દાહ, કનકમંજરી તથા વેવાઇએનાં ખૂનેાની વાત કુશાવર્તપુરે પહોંચી નથી એમ જણાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy