SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૩ અને છેવટે "વિભાકર રાજાએ પિતે પિતાને હાથે મને મનહર સુંદર પાન આપ્યું. વિભાકર રાજાએ આટલું આટલું મારે માટે કર્યું, પરંતુ મારા મનમાં તે એમજ લાગ્યા કરતું હતું કે અહો! આણે મને એમ કહ્યું કે મારા માતાપિતા વિગેરેને મેં મારી નાખ્યા તે વાત ઠીક કરી નહિ; માટે લાગ આવે તે એ પાપીને મારી નાખું! આવા ભયંકર વિચારને લીધે મારું મન એટલું ડેલાઈ ગયું હતું કે મને તે રાજા જાતે આટલું બધું માન આપતો હતો તેના તરફ મારું મન પણ ગયું નહિ. ત્યાર પછી ભોજનશાળામાંથી બહાર નીકળીને અમે સર્વે બેસવાના દિવાનખાનામાં આવ્યા. ત્યાં વિભાકર રાજાના મંત્રી મતિશેખરે વાત ઉપાડી: “અરે પ્રભાતમાં નામ લેવા યોગ્ય મહારાજા પ્રભાકર દેવલેક ગયા તેની તો આપને ખબર પડી હશે?” મેં જવાબમાં માથું ધુણુવ્યું ( જણાવ્યું કે હા, એ સમાચાર થોડા વખત પહેલાં જાણ્યા હતા). તે વખતે વિભાકરની આંખમાં આંસુ આવી ગયા અને મુ ખેથી બે “મિત્ર ! પિતા તે પરલેકમાં ગયા! ઉદાત્ત હવે તારે પિતાનું સ્થાન લેવું જોઈએ. તેથી આ રાજ્ય, ઉદારતા. અમે સર્વે અને આ સર્વે પ્રધાનમંડળ જે પિતાની કૃપામાં લહેર કરતું હતું તે સર્વે તારા નેકર છે અને તારી સેવામાં હાજર છે એમ સમજજે. તારી મરજીમાં આવે તેવી રીતે સર્વની સાથે તું કામ લેજે !” આટલી સુંદર અને ઉદાર પ્રાર્થના વિભાકરે મને કરી, પરંતુ વૈશ્વાનરને હમેશાં કઈ પણ પ્રકારને ગુણ હતો જ નથી તેથી હું તે જરા પણ આભાર માનવાને બદલે મૌન ધારણ કરીને ચુપ બેસી રહ્યો. હવે એવી રીતે આનંદ વિલાસમાં તે દિવસ આખો પસાર થઈ ગયે. રાત્રીની શરૂઆતમાં રાજ્યમંડળ ભરાતું હતું વિભાકર તે પ્રમાણે ભરાઈને વિસર્જન થયું. ત્યાર પછી પનું ખૂન. તાની પ્રેમી સ્ત્રીઓને પિતાની સાથે સુવા આવવાનો નિષેધ કરીને મારા ઉપર અત્યંત પ્રેમ હોવાને લીધે વાસભુવનમાં આવેલી મહા મૂલ્યવાળી એકજ શયામાં વિભાકર રાજા ૧ રાજા જાતે પાન આપે તે સર્વથી મોટું માન ગણાય છે. ૨ પ્રભાકર વિભાકર રાજાના પિતા. કનકશેખર સાથે લડાઈ થઈ ત્યારે પ્રભાકર રાજ જીવતા હતા. તે વખતે વિભાકર રાજવારસયુવરાજ હતો. જુઓ પૃ. ૫૮૪. ક વાસભુવનઃ સુવાને એારડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy