SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૯] ખૂનીકોધીને રખડપટે. તો કાંઈ ઠીક કર્યું નહિ. જે ભાઈ! એ ભયંકર કામને પરિણામે તને આ ભવમાં જ આટલો તો કલેશ પ્રાપ્ત થયે (અને પરભવમાં શું થશે તેની તે તને ખબર પણ નથી.) એ સર્વ એ અકાર્યનું ફળ છે.” વિભાકરનાં આવાં હિતવચન સાંભળતાં જ મારા મનમાં રહેલા વિશ્વા નર અને હિંસા જાગ્રત થઈ ગયા અને મેં વિચાર હિત કરનાર કર્યો કે ખરેખર આ વિભાકર પણ મારા શત્રુનાપર ક્રોધ. શના કાર્યને અકાર્ય માને છે તેથી તે પણ મારે દુ | મન જ જણાય છે. એટલે તુરત જ તેને મારી નાખવાને મારા મનમાં નિર્ણય થઈ ગયે. પરંતુ મારું શરીર ઘણું દુબળું થઈ ગયેલું હોવાને લીધે. વિભાકરને રાજ્યપ્રતાપ ઘણે મોટો હોવાને લીધે, નજીકમાં રાજપુરૂષોને માટે સમૂહ હાજર હોવાને લીધે, તેમજ રાજાના પહેરેગીરે અતિ નજીક હોવાને લીધે બે વિભાકર રાજાપર પ્રહાર કર્યો નહિ, પરંતુ મારું મોટું તદ્દન બગાડી દીધું. વિભાકર મારે અભિપ્રાય સમજી ગયો. તેના ધ્યાનમાં આવી ગયું કે જે વાત ચાલે છે તે મને જરા પણ પસંદ આવતી નથી તો પછી એ વાત ફરીવાર યાદ કરીને કુમાર નંદિવર્ધનને શા માટે સંતાપ આપો? એ વિચારને પરિણામે એ બાબતની વાતચીત વિભાકર રાજાએ બંધ કરી દીધી. ત્યાર પછી તે જ વખતે વિભાકર રાજાએ પિતાના સામંત અને સરદારને આજ્ઞા કરી “આ નંદિવર્ધન કુમાર મારું નંદિવર્ધનને પિતાનું શરીર જ છે, મારું જીવતર છે, મારું સર્વસ્વ છે, મોટું સન્માન. તે મારો સગો છે, મારે ભાઈ છે, મારે પૂજવા યોગ્ય છે, એના દર્શનથી આજે મને ઘણો આનંદ થઈ ગયો છે, માટે એહીજન મળે ત્યારે આપણે જે પ્રમાણે મેટા મહોત્સવ કરીએ છીએ તે પ્રમાણે સર્વ કરાવો.” તેઓએ રાજ્યઆજ્ઞા માથે ચઢાવી. ત્યાર પછી રાજકુળમાં મોટો આનંદ પ્રસરી રહ્યો, મને વિધિપૂર્વક હવરાવવામાં આવ્યો, મને દિવ્ય વસ્ત્રાભરણે પહેરાવવામાં આવ્યાં, અત્યંત સુંદર ભજન મને જમાડવામાં આવ્યું, મારા આખા શરીર પર મુગધી પદાર્થોનું વિલેપન કરવામાં આવ્યું, મારા શરીર પર મહા મૂલ્યવાળાં અલકારે ધારણ કરાવવામાં આવ્યાં - - - - - - ૧ કોઈ વાત ન ગમે ત્યારે હોઢાને “અરીઠું” કરવામાં આવે છે તેવું. મુખ પરથી જ કોઈ નણી શકે કે આ ભાઈને આ વાત ગમતી નથી, એવી મ્હોની આકૃતિ તેને પ્રસંગે થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy