SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ ખાય છે તેનું કારણ શું હશે ! આવો વિચાર કરીને પછી તેણે નખથી માંડીને શિખા પર્યત મને ધારી ધારી જે. એમ કરતાં તેના મા નમાં ખાત્રી થઈ ગઈ કે આ તે કુમાર નંદિવર્ધન જ આખરે છે. વળી તેણે વિચાર કર્યો કે–અહીં નંદિવર્ધન કુમાર ઓળખ્યો. આવા આકારમાં આવે એ સંભવ પણ જણાતો નથી. પણ ખરેખર નસીબની રીતો કાંઈ ઓરજ પ્રકારની છે! એને ( કમેન-વિધિને-નસીબને) વશ પડેલા પ્રાણીઓના સંબંધમાં શું શું નથી બનતું? જે મોટા રાજાને પગે અનેક મુગટ ધારી રાજાઓ નમસ્કાર કરી તેના પગની પૂજા વિધાત્રીના કરે છે અને જે કાંઇપણ વચન બોલે તે પ્રત્યેકને લેખ. લેકે “યે દેવ, જય દેવ!' એવા શબ્દોથી વ ધાવી લે છે, તે જ રાજા તે જ ભવમાં નસીબને લઇને ભીખારીને આકાર ધારણ કરીને અનેક પ્રકારના દુ:ખ પામતો જેવામાં આવે છે માટે આ હાડપિંજર થઈ ગયેલો પુરૂષ મને તે કુમાર નંદિવર્ધન જ લાગે છે તેમાં જરા પણ શક નથી–એ વિચાર કર્યા પછી પિતે મારી સાથે અગાઉ જે સેહભાવ કર્યો હતો તે યાદ કર્યો અને તેથી આંખમાંથી ગાલ પર ઝરતાં આસુના પ્રવાહ સાથે વિભાકર સિંહાસન પરથી ઉઠીને મને ભેટી પડ્યો. તે વખતે એ બનાવની વિચિત્રતા જોઈને આખું રાજકુળ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયું. વિભાકર નરપતિએ તે મને પિતાના સિંહાસન પર અરધું આસન આપીને પોતાની સાથે બેસાડ્યો અને પછી મને પૂછયું “મિત્ર! આ તે શું?” વિભાકરના પૂછવાથી મેં તેને મારું સર્વ ચરિત્ર કહી સંભળાવ્યું તે સાંભળીને વિભાકર બે “અરે ભાઈ! તે આ તારા માતા પિતા વિગેરેને મારી નાખવાનું તદ્દન દયા વગરનું કામ કર્યું તે ૧ વિભાકરે લડાઇને પ્રસંગ યાદ ન કરતાં સેહભાવ યાદ કર્યો તે તેની મોટાઈ બનાવે છે. તેના મલમપટ્ટા નંદિવર્ધને કર્યા હતા અને તેથી તેઓ વચ્ચે સ્નેહભાવ થયો હતો. જુઓ પૃ. ૧૧૪. વળી નંદિવર્ધને તેને માનપૂર્વક કુશાવર્ત નગરથી વિદાય કર્યો હતો. વિભાકર સારી પ્રકૃતિને રાજા જણાય છે. લડાઈ પ્રસંગે વિભાકર રાજવારસ હતો. તેના પિતા પ્રભાકર રાજા તે વખતે રાજ્ય કરતા હતા તે ધ્યાનમાં રાખવું. ૨ પાપી માણસને કોઈ તેના પાપની કથા પૂછે તો તેને પોતાની ઉપર ક્રોધ આવતો નથી પણ પૂછનારપર ક્રોધ આવે છે. નંદિવર્ધનને આવા પ્રકારનો કોઇ હવે સર્વ પૂછનાર ૫ર આવશે તે કથામાં જોઈશું. પાપીઓના સંબંધમાં એવું જ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy