SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૯] ખૂનીકોધીનો રખડપાટો તે તે તુચ્છ ભેજન આપતે તે ખાવાની મેં ચોખી ના પાડી, પણ અંતે ભુખને લીધે તે પણ મેં ખાવા માંડ્યું. પણ એવા કળથી વિગેરે તુચ્છ અન્નથી મારું પેટ કાંઈ ભરાયું નહિ તેથી નિરંતર મનને ઉદ્વેગ પણ વધવા લાગે. આવી રીતે ભુખમાં અને દુઃખમાં મારા કેટલાક દિવસો પસાર થઈ ગયા અને હું દુબળ થતું ગયું. એક દિવસે ભુખના પલ્લીપતિ રણવીરે હું કેટલે જાઓ થછું? વિગેરે દુઃખમાં. પ્રશ્ન મારા પાલન કરનારા ચારને પૂછયા. તેના જ વાબમાં તેણે જણાવ્યું કે “સાહેબ, એના પર મહેનત તે ઘણી કરવામાં આવે છે, પણ કઈ રીતે એનામાં બળ વધતું નથી.” ત્યાર પછી ભુખમાં અને દુઃખમાં તે ચારને ઘેર એ જ રીતે હું ઘણે વખત રહ્યો. એક વખત ચોરે ઉપર કનકપુર નગરથી પલ્લી છોડી જવાને હુકમ આવ્યું, જેની ખબર એરેને પડતાં તેઓ રાજ્યદંડ. પટ્ટીમાંથી ભાગી ગયા. કનકપુરના રાજાના હુકમથી તે પલ્લીને લુંટી લેવામાં આવી-કબજે કરવામાં આવી અને જેટલાને પકડી શકાય તેટલા ચોરને પકડી લેવામાં આવ્યા. પકડાયેલા સર્વને કનકપુર લઈ જવામાં આવ્યા. હું પણ પકડાઈ જનારાઓમાંની એક હતો. વિભાકર સમક્ષ નંદિવર્ધન માન આપનાર પર ક્રોધ, ઉપકાર કરનારનું ખૂન, કનકપુરે. મને એક ચેર તરીકે મહારાજા વિભાકર પાસે કનકપુર નગરમાં રજુ કરવામાં આવ્યું. વિભાકર મને જોતાં જ કાંઈક ઓળખી ગયે અને પોતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે અરે આ તે શું નવાઈ ! આ પુરૂષ બળેલા છાણાના ભાઠા જેવો થઈ ગયો છે અને તેના શરીર પર માત્ર હાડકાં અને ચામડી જ રહ્યાં છે તે પણ તે બરાબર કુમાર નંદિવર્ધનનો આકાર ધારણ કરે છે અને જાણે તે જ હોય તે દે ૧ કળથી તુચ્છ ભજન તરીકે ઓળખાય છે, સર્વથી અધમ દાણે છે અને માણસ દુકાળ જેવા પ્રસંગ વગર ખુશીથી તે ખાતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy