SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. મદનમંજૂષાના વેવિશાળ માટે કહેણ, નજીવી બાબતમાં ક્રોધ, પ્રધાનનું ખૂન, પુષ્પાયનું પલાયન, અનર્થપરંપરા, એ વખતે પ્રતિહારી અંદર દાખલ થઇ અને મારા પિતા મહારાજ પદ્મરાજને પગે પડી અને બન્ને હાથના સંપુટ બનાવી પેાતાના કપાળે લગાડ્યો-મતલબ રાજાને પગે લાગી પ્રણામ કરી ખેાલી “દેવ! અરિદમન રાજાના સ્ફુટવચન નામને મોટા પ્રધાન આપશ્રીને મળવા માગે છે અને હૉલ તે મહારના દરવાજા પર ઊભેલ છે, તેના સંબંધમાં દેવના જેવા હુકમ !” રાજાએ તેને સભાસ્થાનમાં પ્રવેશ કરાવવાના હુકમ આપ્યો એટલે સ્ફુટવચનને લઇને પ્રતિહારી અંદર આવી. તે મારા પિતાને નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું “ મહારાજ ! મેં હમણાજ સાંભળ્યું કે આજે અત્યારે રાજપાણિગ્રહણ કુમાર મંદિવર્ધનને યુવરાજપદે સ્થાપન કરવાના મમાટે કહે. હોત્સવ ચાલે છે, તેથી અત્યારે બહુ સારૂં મુહૂર્ત છે એમ ધારીને જે કામ માટે હું અહીં આવ્યો છું તેને માટે એકદમ ઉતાવળથી રાજસભામાં હું દાખલ થયા છું.” [ પ્રસ્તાવ ૩ પદ્મરાજા—‹ એ તો બહુ સારૂં કર્યું; હવે તમારૂં અહીં આવવાનું પ્રત્યેાજન શું છે તે જણાવે. ” સ્ફુટવચન દૂત—“ આપશ્રીના સારી રીતે જાણવામાં છે કે શાર્દૂલપુરમાં પ્રભાતસ્મરણીય અરિદ્ગમન નામના રાજા છે, તેમને કામદેવની શ્રી રતિના રૂપને પણ જીતી લે તેવી રતચૂલા નામની મહારાણી છે, તે રાણીથી રાજાને એક મદનમંજૂષા નામની પુત્રી થઇ છે જે ન ચીંતવી શકાય તેવા અનેક ગુણેાની પેટી હાય તેવી શાલી રહી છે. એ મદનમંજૂષાએ લોકોમાં ચાલતી નંદિવર્ધન કુમારનાં પરાક્રમની ઘણી વાતા સાંભળી તેથી તેને કુમારશ્રી ઉપર ઘણા જ પ્રેમ ઉત્પન્ન થયા એટલે તેને પરણવાના પાતાના મનમાં કુંવરીએ નિશ્ચય કર્યો. ત્યાર પછી પાતાના જે અભિપ્રાય થયા તે તેણે પેાતાની માતા રતિચૂલાને જણાવ્યા અને તેની માએ તે મહારાજ અરિદમનને જણાવ્યા. આ પ્રમાણે હકીકત બન્યા પછી પેાતાની કું Jain Education International 6 ૧ આદર્યા અધવચ રહે? લીધેલા કાળીએ હાથમાંજ રહી જાય એને આ ખરાખર દાખલેા છે. સર્વ સામગ્રી યુવરાજપદની હાજર છતાં તે વાત રહી નય છે અને નજીવા કારણમાં ખૂન થાય છે તે હવે જોશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy