SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. દયાની ઉપાદેયતા જિનમતજ્ઞ નિમિત્તીએ આગળ કહે છે કે “ લાકમાં દયા ખરેખરૂં હિત કરનારી છે, દયા સર્વ ગુણાને ખેંચી લાવનારી છે, દયા ધર્મનું સર્વસ્વ છે, દયા દાષાને કાપી નાખનારી છે, હૃદયમાં થતાં સર્વ સંતાપને શાંત કરવાની શક્તિને ધારણ કરનારી છે અને એ જેનામાં હાય છે તેને અનેક પ્રકારની દુરમનાવટની પરંપરા કદિ પ્રાપ્ત થતી નથી. એનું કેટલું વર્ણન કરવું ? એ કમળની જેવી આંખાવાળી દયાકુમારી એટલા ગુણા ધારણ કરે છે કે તેનું સંપૂર્ણ વર્ણન કાણુ કરી શકે ? મહારાજ! મારે તમને કહેવાની મતલબ એ છે કે આ દુનિયામાં હિંસાને નાશ કરવાના એક સિવાય બીજે કોઇ પણ અન્ય ઉપાય નથી અને તે એ જ છે કે જ્યારે ધીરવીર કુમાર એ દયાકુમારી સાથે લગ્ન કરશે એટલે તુરત જ તેની પેલી દુષ્ટ ભાર્યાં હિંસા નાશ પામી જશે-ભાગી જશે. જીઆ, મહારાજ ! એ હિંસા તેા મહાપાપી છે અને અળું બળું થઇ રહેલી છે ત્યારે પેલી દયાકુમારી તે મહાશુદ્ધ છે અને બરફના જેવી ઠંડી છે. એ હિંસા અને દયામાં અગ્નિ અને જળ તેટલા તફાવત છે. ” ૩૦ દયા સાથે લગ્નની ચિંતા. જિનમતજ્ઞ નિમિત્તીઆનાં આવાં વચન સાંભળીને રાજાએ પૂછ્યું “આર્ય! ત્યારે કુમાર મંદિવર્ધન એ કન્યા સાથે ક્યારે પરણશે?” નિમિત્તીઓ મહારાજ ! જ્યારે શુભપરિણામ રાજા - તાની દીકરીને તમારા છેોકરા સાથે પરણાવવા ઇચ્છશે ત્યારે.” * [ પ્રસ્તાવ ૩ પદ્મરાજા—“ ત્યારે એ શુભપરિણામ રાજા ક્યારે પાતાની દીકરી તેને આપશે ?” નિમિત્તીઓ—“ જ્યારે તે રાજા કુમાર તરફ સીધા ચાલશે ત્યારે અથવા કુમારને તે શુભપરિણામ રાજા અનુકૂળ થશે ત્યારે.” પદ્મરાજા ત્યારે એ શુભપરિણામ રાજા કુમારને અનુકૂળ થાય એનેા કાંઇ ઉપાય ખરા કે નહિ ?” નિમિત્તીઓ—“ મેં તમને અગાઉ જ જણાવ્યું છે કે એ શુભપરિણામ રાજાને અનુકૂળ કરી શકે તેવા કોઇ હોય તે તેના ઉપરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy