SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૭] દયાકુમારી. ૬૩૧ કર્મપરિણામ રાજા જ છે, બીજે કઈ તે કામ કરી શકે તેમ નથી; કારણ કે આ શુભપરિણામ રાજા પેલા કર્મપરિણામ રાજા ઉપર જ આધાર રાખીને રહેલો છે. માટે હાલ વિશેષ પ્રયત્ન શું કામ કરવો? જુઓ વાત એમ છે કે જ્યારે એ કર્મપરિણામ રાજાની મહેરબાની કુમાર નંદિવર્ધન પર થશે ત્યારે એના હાથ નીચેના શુભ પરિણામ રાજા પિતાની કુંવરી દયાકુમારીને પિતાને હાથે જ કુમારને પરણુંવશે. માટે હવે એ બાબતમાં ચિંતા કરવામાં ફળ નથી. વળી કુમારની ભવ્યતા ધ્યાનમાં રાખીને નિમિત્તને જોરે અને યુક્તિના યોગથી હું એટલું પણ કહી શકું છું કે ભવિષ્યમાં કોઈ વખતે પણ જરૂર કુમાર ઉપર કર્મપરિણામ રાજાની કૃપા થશે એમાં જરા પણ સંદેહ જેવું નથી. એ જ્યારે વખત આવશે ત્યારે કમેપરિણુમ રાજા પિતાની મોટી બહેન લેકસ્થિતિને પૂછી જોશે, પોતાની સ્ત્રી કાળપરિણતિની સાથે વિચાર કરશે, પિતાના મુખ્ય સરદાર સ્વભાવને તે વાત કહી જશે, આ નંદિવર્ધન કુમારની પાસે જ રહેલી તેના સર્વ ભાવના અંતરમાં ગુપ્તપણે વાસો કરનારી અંતરંગ ભાર્યા ભવિતવ્યતા છે તેને એ વાતની ખબર કરશે, નિયતિ (આ વસ્તુ આમ જ થવી જોઈએ એવો કુદરતી નિયમ) યદચ્છા વિગેરેને પૂછીને કુમારમાં વીર્ય કેટલું છે તેની ખાત્રી કરશે, એ પ્રમાણે સર્વને પૂછીને સર્વની સાથે સલાહ મેળવીને એ મહારાજા નિર્ણય કરશે કે કુમાર હવે દયાકુમારીને યુગ્ય થયો છે, અને એ નિર્ણય કરીને પછી એ પોતે જ દયાકુમારીના કુમાર સાથે લગ્ન કરશે. આ હકીકતમાં જરા પણ સંદેહ જેવું નથી માટે વ્યાકુળતા છોડી દે.” મૌન રહેવાની સલાહ, પદ્મરાજા–“ ત્યારે હાલ અમારે શું કરવું?” ૧ જુઓ પૃ. ૩૬૯-૭૦. ત્યાં કર્મ પરિણામ રાજા અને કાળપરિણતિ બને પોતાના તાબામાં રહેનાર આ શુભ પરિણામ રાજાના સંબંધમાં કેવી રીતે કામ લે છે તે વિગતવાર સમજાવ્યું છે. ૨ ભવ્ય પ્રાણીની મેક્ષમાં જવાની યોગ્યતા છે તેને અંગે આ વાત છે. અપેક્ષિત વચન છે. વ્યવહાર રાશિમાં આવેલા ભવ્ય પ્રાણુને એવી જોગવાઇ ચક્કસ જ મળે એમ સમજવું. નિમિત્તીઓ ભવ્યતાના જોરથીજ જવાબ આપે છે. ૩ કઈ પણ કાર્ય થવા માટે પાંચ સમવાયી કારણે જોઇએ: પુરૂષાર્થ, કર્મ, ભવિતવ્યતા, કાળ અને સ્વભાવ. આ હકીકત પર અહીં રૂપક છે. લેકસ્થિતિ એ સામાન્ય વચન છે–આજુ બાજુના સર્વ સંયોગને સરવાળે છે. પાંચ કારણ માટે જુઓ પૃ. ૩૦૮ ની નોટ નં. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy