SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] હિંસાની અસર તળે. ૬૧૫ સુંદર ભાર્યા જે ખરેખર ઉપમા ન આપી શકાય તેવા આનંદ અમૃત રસના કૂપ જેવી છે તેની પ્રાપ્તિ થઈ! મહારાજા કનકચૂડે મણિમજરીને પોતે જ કહ્યું હતું કે કુમ અને સમરસેન બન્ને ઘણુ બળવાનું યોદ્ધાઓ હતા છતાં તેઓને રમતમાત્રમાં કુમાર નંદિવર્ધને (મે) પાડી દીધા તેટલા માટે તેની સાથે કુંવારી કનકમિંજરીનાં લગ્ન કરવાં જોઈએ–આ વાત મણિમંજરીએ કપિંજાને કહી હતી, કપિલાએ સારથિને કહી હતી અને સારથિએ મને કહી હતી. હવે એ કુમ અને સમરસેન જેવા મહારથીઓને મેં હિંસાદેવી અને વૈશ્વાનર મિત્રના પ્રભાવથીજ મારી હઠાવ્યા એમાં જરા પણ શક નથી. એટલા માટે મને આ કનકમંજરી અપાવનાર ખરેખર તો એ હિંસા અને વૈશ્વાનર જ છે. તેઓનો મારા ઉપર મોટો ઉપકાર છે. આવા આવા વિચાર કરતાં મારા મનમાં હિંસા અને વૈશ્વાનર ઉપર સ્નેહ વધારે વધારે વધતો ગયો. વૈશ્વાનર મિત્ર પર અત્યંત પ્રેમ હોવાને લીધે તે મને નિરંતર રચિત્ત નામનાં વડાં ખાવા માટે આપતો હતો પ્રથમ વૈશ્વાનરે અને હું તે દરરોજ ખાતો હતો, તેને લઈને મારામાં શરૂઆત કરી. ચંડપણનો-કઠોરતાનો ભાવ આવવા લાગ્ય, અસ હિતા દેખાવા લાગી, ભયંકરતા જણાવા લાગી, પ્રકાશભાવ હતો તે દૂર થઈ ગયો અને ક્રૂરતા તો મને હાડોહાડ વ્યાપી ગઈ. ટુંકમાં કહું તે મારું પોતાનું સ્વરૂપ તે વખતે લય પામી ગયું અને હું ખરેખર વૈશ્વાનરરૂપ થઈ ગયે. વાત આગળ જતાં તો એટલી વધી ગઈ કે પછી મારે પેલાં વડાં ખાવાની પણ જરૂર રહી નહિ. હું તો સર્વદા ક્રોધથી ધમધમતા રહી જો કોઈ મારી સાથે હિતની વાતો કરે તો તેને પણ ઉધડો લઈ લઉં, અને મારા નોકર ચાકરેને પણ વાંકવગર મારવા મંડી જાઉં. વૈશ્વાનરે મારી આવી સ્થિતિ કરી મૂકી. શિકારનું વ્યસન અનુક્રમે હિંસાદેવીએ પિતાનો વધારે પ્રભાવ દેખાડવા માં. મને વારંવાર ભેટી ભેટીને તેણે મને શિકારનો શેખ પછી હિંસાદે લગાડ્યો. એને પરિણામે દરરોજ અનેક જીવોનો હું વિને પ્રભાવ. વધ કરવા લાગ્યો. મને શિકારનું વ્યસન પડ્યું છે એ વાતની ભાઈ કનકશેખરને ખબર પડી એટલે ૧ જુએ પૃ. ૫૩૯-૫૪૦. ૨ અસલ સ્વરૂપે જીવ જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણ ૩૫ છે. ૩ ૦૧સનઃ ટી ટેવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy