SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ LT - ED: I. EAતિ bi- IFTIS' PiEEPLIES પ્રકરણ ૨૫ મું. હિંસાની અસર તળે. મારી સાથે લડનાર વિભાકરને લડાઈમાં ઘા વાગ્યા હતા તે હવે રૂઝાઈ ગયા હતા, તેનું શરીર પણ સુ| ધરી ગયું હતું, તેને મારા ઉપર ભારે સ્નેહ બંધાઈ ગયો હતો અને મારામાં વિશ્વાસ પણ ઉત્પન્ન થયો હતો. તેને થોડા દિવસ રાખીને ઘણું માનપૂર્વક તેના પરિવાર સાથે તેના દેશ તરફ મહારાજા કનચૂડે વિદાય કર્યો. બીજા વીરસેન વિગેરે અંબરીષ જાતિના ચેરે હતા તેઓ તેઓના નાયક પ્રવરસેનના મરવાથી મારા દાસ થઈને મારી શત્રુઓને સાથે રહ્યા હતા તેઓને પણ યોગ્ય સન્માન આપીને યોગ્ય માન. તેઓનાં સ્થાન તરફ વિદાય કરી દીધા. હવે મારા મનમાં કઈ પણ પ્રકારની ચિંતા રહી ન હોતી, મને કઈ તરફથી સંતાપ થાય એવો ભય પણ ન હતો-એવા સર્વથા અનુકૂળ સંયોગોમાં મારી પ્રેમાળ ભાર્યા-રાવતી અને કનકમંજરીની સાથે આનંદસમુદ્રમાં કલ્લેબ કરતો કનકચૂડ રાજાના કુશાવર્તપુર નગ૨માં હું કેટલોક વખત રહ્યો. નંદિવર્ધનની ખોટી સમજણ, હિંસાદેવીના ખાટાં માનપાન, પુણોદયનું તદ્દન વિસ્મરણ, આવી રીતે મને સર્વ પ્રકારે આનંદ થતો હતો તેનું ખરેખરૂં કારણ તે મારો મિત્ર પુદય જ હતા, પરંતુ મહામહને લઈને મારૂં મન તદ્દન અંધકારમય દશામાં આથડતું હોવાને લીધે મને તો હમેશાં એમજ લાગતું હતું કે અહો ! હિંસા ભાર્યા અને મિત્ર વૈશ્વાનરનો પ્રભાવ તે જુઓ ! એ બન્નેના પ્રભાવથી આવી કનકમંજરી જેવી ૧ જુઓ આ પ્રસ્તાવનું પ્રકરણ ૨૩ મું. ૨ પ્રવરસેનને લડાઇમાં નંદિવર્ધને માયો હતે. જુઓ આ પ્રસ્તાવનું પ્રકરણ ૨૨ મું. ત્યાર પછી અંબરીષ ચોરેને નાયક વીરસેન થયો હશે એમ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy