SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૭ સુંદરી. પ્રકરણ ૨૪]. કનકમંજરી. ઊંડા ભાગોમાં, નાગરવેલનાં આરામગૃહોમાં, કમળનાં સરોવરની પાળ ઉપર અને બીજી ઘણી સુંદર જગાએ ફર્યો, વારંવાર તેની તે જગેએ ગયો, પરંતુ એ મૃગનયનાને મેં કેઇ પણ જગે એ જોઈ નહિ. તે વખતે મારા મનમાં વિચાર આવ્યો કે- જરૂર તેતલિએ મને છેતર્યો જણાય છે! અમાત્ય વિમળ મારી પાસે આવીને કન્યાનું પાણિગ્રહણ કરવાનું કહી ગયો તે પણ તેને માયાપ્રપંચ હોવો જોઈએ. એવી અદ્દભુત નવયૌવનાના દર્શન કરવા જેટલું પણ નશીબ મારા જેવાને ક્યાંથી હોય! આવા આવા અસ્વસ્થ વિચારે હું કરતો હતો તેવામાં બગીચાના ઊંડા ભાગમાંથી સુંદર પગનાં ઝાંઝરનો અવાજ મારા શોકગ્રસ્ત સાંભળવામાં આવ્યું. એ વખતે હું તેતલિની બા જુએથી ખસી જઈને જે ઉંડાણમાંથી તે અવાજ આવતો હતો ત્યાં ગયે તે દૂરથી વાંસના ઝાડની નીચે જાણે સ્વર્ગેથી ભ્રષ્ટ થઈને આવી પહોંચેલી કેઇ દેવાંગના હોય, અથવા તો પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂકેલી મહા રૂપવંત નાગકન્યા હોય, અથવા કામદેવના વિરહથી ભયમાં આવી પડેલી સાક્ષાત્ રતિ હોય તેવી શેકમાં પડેલી કનકમંજરીને મેં ઊભેલી જોઈ. દૂરથી જોતાં મને જણાયું કે તે ચપળ નજરે ચાર દિશા તરફ જોઈ રહી છે પણ તેના જેવામાં કે મનુષ્ય આવતું સુંદરીના નથી. આખરે બોલતી સંભળાઈ. “અહો વનદેવતાઓ ! ઉગારે. તમે સાક્ષી રહેજે. તેતલિએ મારી ધાવમાતા પાસે કબૂલ કર્યું હતું કે મારા ઈષ્ટ હૃદયનાથને તુરત તે મારી પાસે લઈ આવશે, વળી આ રતિમન્મથ બગીચામાં મળવાનો સંકેત પણ તેણેજ કર્યો હતો. એ 'ઘરડી બિલાડીએ (કપ જલાએ) મને ઠગીને અહીં આવ્યું છે. હવે અહીં તે તે માણસ (મારા હૃદયનાથ) મળતા નથી એટલે તે તેને શોધવા જવાનું બહાનું કાઢીને તે ડેકરી અહીંથી છટકી ગઈ છે અને મને એકલીને અહીં મૂકીને ક્યાંક ચાલી ગઈ છે તેનો પત્ત પણે લાગતો નથી. મોટી ઇંદ્રજાળની રચના કરવામાં ચતુર એ કપિલાએ મને આજે આવી રીતે ઠગી - ૧ “હળવું લોહી હવાલદારનું” એ કહેવત વિચારવા યોગ્ય છે. નંદિવર્ધને પણ રથકારને વાંક કાઢયો હતે, કનકમંજરી તો ધાવમાતા ઉપર આકરા શબ્દોની પુષ્પવૃષ્ટિ પણ કરે છે. સાધનસંપન્ન અને આશ્રિતોને આ સંબંધ દરરોજના અનુભવનો વિષય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy