SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૪] કનકમંજરી. ૬૦૩ વવી.” આ પ્રમાણે વાતચીત કરી બાપ દીકરાએ-રાજા અને કુંવરે–પિતાના મનમાં નિર્ણય કર્યો કે બહેન કનક મંજરીનાં લગ્ન કુંવર નંદિવર્ધન સાથે કરવાં. (મણિમંજરી કપિંજલાને આગળ કહે છે કે, “આ પ્રમાણે પિતાજી અને ભાઈ કનડશેખર વાત કરતા હતા તે વખતે હું પિતાજીના ખોળામાંથી ઊઠી ઊભી થઈ અને અહીં આવવા લાગી. આવતાં આવતાં મેં (મણિમંજરીએ) મનમાં વિચાર કર્યો કે અહ હું ખરી ભાગ્યશાળી છું, મારે દૈવની અનુકૂળતા પણ સર્વ બહુ સારી થઈ ગઈ! પિતાશ્રીના વિચાર કરીને કાર્ય કરવાના નિર્ણયને પણ રંગ છે ! અને ભાઈ કનકશેખરના વિનયગુણને પણ રંગ છે! હવે તે મારી બહેન કનકમિંજરી અને મારે આખી જીદગી સુધી સાથે રહેવાનું થશે અને અમે બન્ને સાથે રહીને અનેક પ્રકારની આનંદની લહેરે કરશું. આવા આવા વિચારોને પરિણામે મને એટલો બધો આનંદ થઈ ગયો છે કે તે બહાર પણ જણાઈ આવે છે. મને અત્યારે મનમાં જે બહુ આનંદ થઈ આવે છે તેનું કારણ કપિ જલા! હવે તારા સમજવામાં બરાબર આવ્યું હશે.! મણિમંજરીની આ વાત સાંભળીને માતા મલયમંજરીએ કહ્યું “અરે કાપજલા! નિમિત્ત શબ્દ આપણે હમણું સાંભળ્યો તેમાં કાર્યસિદ્ધિ બતાવી હતી, માત્ર વખત જરા બાકી છે એમ કહ્યું હતું તે તું યાદ કર.” મેં (કપિલાએ) જવાબમાં કહ્યું “એમાં શું શક છે? એવી દૈવી વાણું જરૂર ભવિષ્ય સૂચવનારીજ હોય છે. હવે દીકરી કનકમંજરી! તું દીલગીરી છોડી દે, અને ધીરજ ધારણ કર. તારી ઈચ્છા છે તે બરાબર હવે સિદ્ધ થઈ ચૂકી છે એમ સમજ. તને જે દાહન્વરની બળતરા થઈ આવી છે તેનું કારણ હવે દૂર થઈ ગયું છે. પુત્રીવત્સલ પિતા કનકચૂડે તને અત્યાર અગાઉ જ તારા ૧ શીલવર્ધન એ નંદિવર્ધનના સેનાપતિને ભાઈ હોવો જોઈએ. તેનું નામ અગાઉ આવતું નથી પણ જે નંદિવર્ધનના સૈન્યમાં તે હોય તો જ મણિમંજરી અને કનકમંજરીને અવિયોગ રહી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy