SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ માટે કહે છે?” મેં કહ્યું “અરે શું તું જેતી નથી કે અમે સર્વ આટલા બધા દિલગીર અવસ્થામાં છીએ અને તું આનંદમાં ગરકાવ થઈને બેઠી છે ! તને કાંઈ લાગતું પણ નથી?” મણિમંજરી–“અરેરે! શું કરું? મારા હર્ષનું કારણ એટલું મેટું છે કે હું ગમે તેટલા પ્રયત્ન કરું છું છતાં હું તેને કઈ રીતે છુપાવી શકતી નથી.” મેં પૂછયું “ત્યારે વળી એવું તે શું આનંદનું કારણ છે તે તે કહે! મણિમંજરી—“હું આજે પિતાજીની પાસે ગઈ હતી. તેમણે મને લાડથી બોલાવીને પોતાના ખોળામાં બેસાડી. તે વખતે ભાઈ કનકશેખર પણ પિતાજીની પાસે જ હતા, તેને પિતાશ્રીએ આ પ્રમાણે કહ્યું – ભાઈ કનકશેખર! તું જાણે છે કે સમરસેન અને કુમ બંન્ને મહાબળવાન હતા, છતાં તેમને કુમાર નંદિવર્ધને એક સપાટામાં મારી નાખ્યા તે કાંઇ સાધારણ વાત ન કહેવાય! એટલા ઊપરથી જણાય છે કે કુમાર નંદિવર્ધન કાંઈ સાધારણ પુરૂષ કનકમિંજરીના વિ- નથી. એણે એથી આપણું ઉપર વાહ માટે પિ- 5 - એટલે મોટે પાડ કર્યો છે કે આ તાના વિચારો. " પણે કુમાર નંદિવર્ધનને તેના બદલામાં આપણું જીંદગી આપીએ તે પણ તેનો પૂરતો બદલો વળે નહિ. તેથી મારે આ પ્રમાણે વિચાર થાય છે કે મણિમંજરી અને કનકમિંજરી મારી બન્ને પુત્રીઓ મને મારા જીવ કરતાં પણ વધારે વહાલી છે: એમાંથી આ મણિમંજરીને તો સેનાપતિના ભાઈ શીલવધેન સાથે અગાઉથી આપણે આપી ચૂક્યા છીએ માટે કનકમંજરીને આપણે નંદિવર્ધન સાથે પરણુવીએ.” કનકશેખરે પિતાશ્રીને યોગ્ય વિચાર સાંભળી જવાબમાં કહ્યું “પિતાશ્રીએ ઘણે યોગ્ય વિચાર કર્યો છે. આપ અવસરે ઉચિત શું કરવું તે બરાબર સારી રીતે જાણે છે. માટે આપણે બહેનને નંદિવર્ધન સાથે જરૂર પર૧ આ મણિમંજરી તે કનકશેખરની બહેન થાય અને કનકચૂડ - જાની દીકરી થાય. ૨ પોતાને ખેાળામાં બેઠેલી (તે વખતે). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy