SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૪] કનકમિંજરી. ૬૦૧ મા! હું તને શું કહું, મારું આખું શરીર જાણે અગ્નિનો પિંડ હોય નહિ તેવું સળગતું લાગે છે.” કનકમંજરીને આવો નહિ ધારેલે જવાબ સાંભળીને મલય મંજરીએ કહ્યું “કપિંજલા! આ તે શું? મારી દીકરીને આવો સખ્ત દાહર એકદમ થઈ આવ્યો તેનું કારણ વ્યાધિનું કાંઈ તારા ધારવામાં આવે છે?” તે વખતે કારણ. મેં (કપિલાએ) મલયમંજરીની પાસે જઈ તેના કાનમાં કલિકાએ મને જે વાત કરી હતી તે કહી સંભળાવી. એ વાત સાંભળીને મલયમંજરીએ જવાબમાં કહ્યું “જો એમજ હોય તો પછી આ અવસરે આપણે શું કરવું યોગ્ય ગણાય?” એજ વખતે રસ્તામાં રાજમાર્ગ ઉપર કેઈએ શબ્દ કર્યો “અરે! એ કામ તો સિદ્ધ થયું. હવે તો માત્ર જરા વખતની જ વાર છે.” તે વખતે આનંદમાં આવીને મેં કહ્યું “અરે બા સાહેબ! તમે રસ્તા ઉપરથી અચાનક પોતાની મેળે નીકળી પડેલ કેઈને શબ્દ સાંભળ્યો ?” મલયમંજરીએ કહ્યું “હા બરાબર સાંભળ્યો !” મેં (કપિલાએ) કહ્યું “જો એમજ હોય તે કુંવારી કનકમંજરીની ઈચ્છા જરૂર પૂરી થઈ જ એમ સમજવું. વળી અત્યારે મારી ડાબી આંખ પણ ફરકે છે, માટે મને તે એ બાબતમાં જરા પણ શંકા લાગતી નથી.” મલયમંજરીએ જવાબમાં કહ્યું “એમાં શંકા લાવવા જેવું શું છે? એ કામ તો જરૂર સિદ્ધ થશે.” - હવે કનકમિંજરીને મણિમંજરી નામની મોટી ભાવના સિદ્ધિ- બહેન હતી, તે તે વખતે મહેલની અગાને વિષમ માર્ગ. શીમાં આવીને અત્યંત આનંદમાં ગરકાવ થયેલી અમારી સામે બેઠી. મેં (કપિજલાએ) મણિમંજરીને કહ્યું “બીજાના સુખદુઃખની તારા મનપર જરા પણ અસર થતી જણાતી નથી તેથી તે ઘણી કઠેર જણાય છે. તેના જવાબમાં મણિમંજરીએ કહ્યું “એમ શા ૧ “શુકનથી શબ્દ આગળા–એનું આ ઉદાહરણ છે. બોલનાર આને ઉદેશીને બેલેલ નથી, પણ આમની ધારણને અનુકુળ શબ્દો બોલાયા તે લાભ સૂચવે છે. ૭૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy