SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૩ હશે. ત્યાર પછી મહારાજા કનકચૂડ અને દુશમનો વચ્ચે મોટી લડાઈ થઈ. લડાઈમાં મહારાજા કનકચૂડ, કુમાર કનકશેખર અને નંદિવર્ધનનો જય થયો અને તેઓ જયધ્વજ સાથે નગરમાં પ્રવેશ કરતા હતા તે વખતે મને કાંઈક કુતૂહલ થવાથી હું બજારમાં તેમને જોવા ગઈ હતી. તેમને નગરપ્રવેશમહોસવ થઈ રહ્યો એટલે હું પાછી કનકમંજરીના મંદિરે આવી અને ઉપરને ભાળે ગઈ. ત્યાં જઈને જોઉં છું તે કનકમંજરી બારીમાં ઊભી હતી, રસ્તા ઉપર તેનું મેટું કનકમંજરીની આવી રહેલું હતું, તેની દૃષ્ટિની હીલચાલ શરીર સ્થિતિ. તદન બંધ થઈ ગઈ હતી, નજર શૂન્ય થઈ ગઈ હતી અને જાણે તેને ચિત્રમાં ચિતરેલી હોય, અથવા તે પથરની ઘડી કાઢેલી હોય અથવા તે યોગ સાધેલી પરમ યોગિની હોય, તેમ તેના શરીરનાં સર્વ અંગ ઉપાંગ અને અવયવોની ચેષ્ટા તદ્દન બંધ પડી ગયેલી જણાતી હતી. આવી વિચિત્ર સ્થિતિમાં તદ્દન મંદ દશામાં બારીમાં ઊભી રહેલી કનકમિંજરીને જોઈને આ તે એને શું થઈ ગયું હશે? એમ વિચાર કરતાં ગભરાટમાં “અરે પુત્રિ! કનકમંજરી!, એમ વારંવાર મેં તેને બોલાવી, પરંતુ ઓછા નશીબવાળી મને એ કુંવરીએ કાંઈ પણ ઉત્તર આપ્યો નહિ. તે વખતે ત્યાં એક કદલિકા નામની દાસી ઊભી હતી તેને મેં પૂછયું “ભદ્ર કદલિકા ! શા કારણથી કુંવારી કનકમંજરીની આવી અવસ્થા થઈ ગઈ છે?” કદલિકાએ જવાબમાં કહ્યું “માજી! મને તે કાંઈ બરાબર ખબર પડતી નથી. માત્ર જ્યારે રસ્તા ઉપર થઈને કુમાર નંદિવર્ધન પસાર થયા અને એ કુંવરી સાહેબના જેવામાં આવ્યા તે વખતે જાણે કુંવરી સાહેબ બહુ હરખાઈ ગયાં હોય, જાણે તેમને અનેક મહામૂલ્યવાન રત્નોની પ્રાપ્તિ થઈ ગઈ હોય, જાણે તેમના શરીર પર અમૃતનું સિંચન થયું હોય, જાણે તેમને કઈ મેટો ઉદય પ્રાપ્ત થઈ ગયો હોય, તેમ વર્ણન ન થઈ શકે એવા રસમાં હતાં તેમને મેં જોયાં હતાં અને જ્યારે તે કુમાર તેની નજરથી દૂર થઈ ગયા ત્યારથી તેમની આવી અવસ્થા થઈ ગઈ છે.” આ હકીકત સાંભળીને જે આનો બરાબર ઉપાય કરવામાં નહિ આવે તે શેકથી વ્યાકુળ થઇને કુંવરી જરૂર મરી જશે એવા વિચારથી તુરતજ ૧ બેંગાલ ર. એ. સો. વાળી બુકનું પૃ. ૩%. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy