SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૪] કનકમંજરી. ૫૭ સારથિ નંદિવર્ધનને ભાવ સમજી ગયા તેથી તેણે પોતાના મનમાં વિચાર કર્યો કે અહા! વહાલીના નામેાચ્ચારરૂપ મંત્રના મહિમા તે ભારે જણાય છે ! ત્યાર પછી પિંજલાએ પેાતાને જે વાત કરી હતી તેનું અનુસંધાન મેળવતાં સારથિએ વાત આગળ ચલાવી. ) “ કપિંજલા— ભાઇ સારથિ ! એ કનકમંજરી મારાં સ્તનનું પાન કરીને મોટી થઇ છે એટલે હું તેની ધાવમાતા છું. મને તેના ઉપર એટલા બધા પ્રેમ છે કે જાણે તે મારૂં હૃદય હાય, અરે જાણે મારું જીવિત જ હાય અને સ્વરૂપથી જાણે મારાથી કોઇ પણ પ્રકારે જુદી ન હોય તેવી મને તે લાગે છે. અત્યારે એ આપડી કામદેવથી પીડાય છે. હવે એ કનકમંજરીને જે ભય કામદેવથી થાય છે તે પરમાર્થથી મને પેતાને જ ભય છે. તેથી મેં તને કહ્યું કે - કામદેવથી મને ભય થયેા છે.' હવે મારા કહેવાનેા આશય તું સમજ્યું ?’ ( કપિંજલા એ કહેલી કનકમંજરીની આવી સ્થિતિની હકીકત સાંભળતાં નંદિવર્ધન એકદમ ઊભા થયા, તરવાર મ્યાનમાંથી ખેંચી કાઢી અને માટેથી બોલવા લાગ્યા અરે ખુની લુચ્ચા પાપી કામદેવ ! હરામખાર ! મારી વહાલીના છેડા છેડી દે! જરા પુરૂષ થા ! યાદ રાખજે કે હવે તારું જીવતર જરા વખત પણ ટકવાનું નથી.' આમ કહી તરવાર ફેરવતા નંદિવર્ધન આમ તેમ ફરવા લાગ્યો. તેને ( મને– નંદિવર્ધનને) શાંત કરતા તેતલ (સારથિ) કહેવા લાગ્યા “અરે સા હેબ ! આપ દયાળુ દેવ જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી કુમારી કનકમંજરીને પાપી કામદેવ તરફથી કે બીજા કોઇ પણ તરફથી ભયની ગંધ પણ આવવાની નથી એ ચેાસ વાત છે. આ તા કથાનક-વાર્તા માત્ર છે તેથી પછવાડે શું બન્યું તે સર્વ આપ સાંભળે.” તેતલિનાં આવાં વચન સાંભળીને, નંદ્રિવર્ધન કહે છે કે, મને જરા શાંતિ થઇ, મારી ચેતના ઠેકાણે આવી અને હું જમીનપર બેઠો. પછી કાÜજલા અને તેતલિ વચ્ચે જે વધારે વાતચીત થઇ હતી તે આગળ ચલાવતાં સારિથ એલ્યે . ) કામદેવપર નંદિવર્ષનને કાપ. “ સારથિ— અરે કાર્યજલા! શું કારણને લઇને કનકમંજરી ઉપર પેલા કામદેવ આટલું બધું ઝેર પછાડી રહ્યો છે?’ e Jain Education International કપિંજલા—જો તેતલિ! સાંભળ. ગઇ કાલે વિમલાનના અને લવતીને હરણ કરવાના બનાવ બન્યો તે તેા તારા ધ્યાનમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy