SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ બેઠે; પછી હાથ જોડીને કહેવા લાગ્ય–“આપ સાહેબ સારી રીતે જાણે છે કે નીચ પુરૂષોમાં ચપળતા ઘણું હોય છે, તેવી ચપળતાને અનુસરીને મારે આપને કઇ વિનંતિ કરવાની ઈચ્છા છે તે સારી હેય કે ખરાબ હોય પણ આપ સાહેબ જરૂર તે સાંભળવા મારા ઉપર મહેરબાની કરશે.” નંદિવર્ધન કુમારે (મું) જવાબ આપ્યો “ભદ્ર! સારથિ ! તારે જે કહેવું હોય તે બહુ સુખેથી વિશ્વાસપૂર્વક કહે ! તારે માટે કેઈ જાતને વધે હોય જ નહિ. આટલું સામાન્ય વિવેકસરનું વચન બોલવાની પણ તારે જરૂર નહોતી.” ત્યાર પછી અમારી બન્નેની વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ – સારથિ-જે એમ છે તે સાહેબ! બરાબર સાંભળે. મેં આપના બીજા નોકર પાસેથી સાંભળ્યું કે આપ સાહેબ રથમાંથી ગઈ કાલે ઉતર્યા ત્યારથી કેજાણે શા કારણથી ઘણું ઉદ્વેગમાં પડી ગયા છો, ઘણી ચિંતા કરો છો, નોકર ચાકરેને પોતાની પાસે આવવાની પણ આપે તદ્દન મનાઈ કરી છે અને આપ પલંગમાં પડી રહ્યા છે. કાલે તે આપે માટે વિજય મેળવ્યો અને આજે આવી સ્થિતિ થઈ તે તે ધણું વિચિત્ર કહેવાય ! મારે પણ સાહેબ ! એવું થયું, રથના ધાડ છોડ્યા પછી તેની સારવાર કરવામાં કાલનો બાકીનો દિવસ પસાર થઇ ગયો. રાત્રી પડી ત્યારે મારા મનમાં ચિંતા થઇ કે મારા અન્નદાતાને આટલે બધે ઉદ્વેગ થઈ ગયો છે તેનું કારણુ શું હોવું જોઈએ? આવા પ્રકારની ચિંતામાં ને ચિંતામાં મેં ઉદ્વેગના કારણ સંબંધી ઘણો વિચાર કર્યો પણ મને કાંઈ સૂજ પડી નહિ. એ જ ચિંતામાં મેં આખી રાત પસાર કરી. સવારે ઉઠીને હું અહીં આવતો હતો ત્યાં તે વળી એક મોટું કારણું આવી પડ્યું. તે કામ પતાવવામાં જરા વખત રેકાઈને હું આપ સાહેબ સમક્ષ હાજર થયો છું. આપના શરીરની કુશબળતા ઉપર અમારા જેવાનું તો જીવતર લટકેલું હોય છે તેથી આ અધમ કિંકર (નેકર)ને મહેરબાની કરીને આપની આવી શરીરસ્થિતિ થઈ જવાનું કારણ જણાવવાની કૃપા કરે.” આ પ્રમાણે બોલતે મારે સારથિ મારે પગે પડ્યો. તે વખતે મે મારા મનમાં વિચાર કર્યો કે-આને (સારથિને) મારા ઉપર ખરે ૧ માર્ચમા-એટલે દાઢીની શોભા. ઠરેલા દાઢીવાળા માણસો ઠાવકું વિવેકસરનું બેલે તે. ઉપર ઉપરના વાણીના આડંબર માટે આ શબ્દ વપરાય છે. અંદર વાતમાં દમ ન હોય અને માણસ દાઢી જબરી રાખે તે ઉપર ઉપરને દંભ હોય તે માટે આ શબ્દ વપરાય છે. “વિવેકસરના વચન માટે આ શબ્દ મૂળમાં વપરાય છે. ૨. આ કારણ શું હતું તે સારથિ તેિજ આગળ જણાવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy