SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ તે ભિખારી છે, રાંકડો છે, આખા શરીરે રાગથી ભરેલા છે, લક્ષ્મીને અયેાગ્ય છે, મૂર્ખ છે અને આખા જગતને અનેક પ્રકારના ઉદ્વેગ કરાવે તેવા છે. એવા દીન રાંક ઉપર મહારાજાની દૃષ્ટિ પડી તે આગળ પાછળના વિચાર કરતાં કેમ બેસતું આવી શકે? એવાની તરફ પરમાત્મા નજર કેમ કરે? અરે હા! પણ બરાબર છે! એની તરફ નજર કરવાના એજ હેતુ જણાય છે કે એને સ્વકર્મવિવર દ્વારપાળે અહીં દાખલ કર્યો છે. એ સ્વકર્મવિવર દ્વારપાળ બહુ ચોકસાઇથી પરીક્ષા કરીને પછીજ કોઇ પણ પ્રાણીને મંદિરમાં દાખલ કરે છે. આ પ્રમાણે હાવાથી રાજાએ સભ્યષ્ટિથી તેના તરફ જોયું હોય એમ જણાય છે. વળી એમ પણ જણાય છે કે જે પ્રાણીના આ રાજભુવન તરફ પક્ષપાત થાય છે તે મહારાજ સુસ્થિતરાજને વહાલા થઇ પડે છે. આ દરિદ્રી નિરંતર આંખાની પીડાથી હેરાન થતા હતેા તે મહેલના દર્શનથી પેાતાની આંખા સારી રીતે ઉઘાડે છે; અત્યાર સુધી તે દરિદ્રીનું મોઢું અત્યંત ભયંકર દર્શનવાળું દેખાતું હતું તે અત્યારે સુંદર રાજમંદિરના દર્શનથી ઉત્પન્ન થયેલા પ્રમાદને લઇને કાંઈક સારૂં થઇ ગયું જણાય છે; તેનાં ધૂળથી ખરડાચલાં અંગે વિકવર થઇ ગયાં છે. અને તેને વારંવાર રામાંચ થયા કરે છે, તેથી તેને આ રાજભુવન ઉપર ખરેખરી પ્રીતિ થઇ હોય એમ જણાય છે. આટલા ઉપરથી એમ લાગે છે કે જો કે એ દરિદ્રી ભિક્ષુકના આકાર ધારણ કરે છે, પરંતુ હમણાં તેના ઉપર મહારાજાની કૃપાદૃષ્ટિ થઇ છે. તેથી તે વસ્તુપણાને પામી જશે. આ પ્રમાણે વિચાર કરીને તે ધર્મબાધકર મંત્રી પેલા ક્રમક ઉપર કરૂણા કરવામાં તત્પર ચિત્તવાળા થયા. લેાકેામાં વાસ્તવિક રીતે કહેવાય છે કે યથા રાજા તથા પ્રજા. ’ રાજાનું જેવું વર્તન એક પ્રાણીના સંબંધમાં થાય તેવું સાધારણ રીતે પ્રજાનું પણ તેની તરફ થઇ જાય છે. આવી રીતે વિચાર કરીને તેના ઉપર આદર ભાવ લાવી ધર્મબોધકર મંત્રી તેની નજીક ગયા અને આવ, આવ ! તને ( ભિક્ષા ) આપીએ’-એ પ્રમાણે કહેવા લાગ્યા. તે વખતે પેલા નિપુણ્યકને અનેક પ્રકારની પીડા કરવા માટે તાફાની છેકરાઓ પાછળ પડ્યા હતા તે ધર્મબેાધકર મંત્રીના ૧ સારી નજર. સમ્યગ્દષ્ટિ એ પારિભાષિક રાખ્ત છે. છેલ્લા પુગળપરાવર્તમાં ત્યારે ગ્રંથિભેદ થાય ત્યારે સમ્યકૃત્વ પ્રાપ્ત થાય છે તે વખતની સ્થિતિને-તે યાગ ખળને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. આ બાબત ઉપર માગળ વધારે વિવેચન આવરો. સમ્યક્ શબ્દ અહીં શ્લેષ છે. ૨ ધનાઢયપણું, રાજાપણું. વસ્તુપણાને પામવું તેના ખીન્ને અર્થે સમ્યગ્ બાષ થઇ છેવટે અનંત સુખ પ્રાપ્ત કરવું એમ પણ થાય છે, એ શ્લેષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy