SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠઅંધ ] સુસ્થિત કૃપા-ધર્મધકર વિચારણા. ૨૧ મારા ખરેખરા અંધુ છે. હું નિર્ભાગી છું છતાં મારી ઉપર આ ભાઇએ ઘણી મેાટી કૃપા કરી છે. સર્વ પ્રકારના સંશયથી રહિત થઈને અને ચિત્તમાં પરિપૂર્ણ હર્ષ લાવીને આ મંદિરમાં રહેવાના આનંદ જે ભાગવે છે તે ખરેખરા ભાગ્યશાળી છે. એ નિપુણ્યક દરિદ્રીને કાંઇક ચેતના પ્રાપ્ત થવાથી ઉપર પ્રમાણે પેાતાના મનમાં તે વિચાર કરે છે તે વખતે ત્યાં એક અનાવ અન્ય તે સાંભળે: આ સુંદર રાજમંદિરના સાતમા માળ ઉપર સર્વથી ઉપરની ભૂમિકાએ લીલામાં લીન થઇ સુસ્થિત મહારાજા બિરાજમાન થયા છે. ત્યાં બેઠા બેઠા પેાતાની નીચે આવી રહેલ આખા નગરના લોકા જૂદા જૂદા વ્યાપાર કરી રહ્યા છે અને અનેક પ્રકારના આનંદામાં મચી રહ્યા છે તે સર્વ એકી વખતે એક સાથે જોઇ રહ્યા છે. તે નગરની મહાર અથવા નગરમાં એવી કોઇ વસ્તુ કે એવા કોઇ ભાવ નથી કે જે સાતમી ભૂમિ ઉપર બેઠેલા પરમ ઐશ્વર્યવાળા સુસ્થિત રાજાની નજર બહાર હાય અથવા જેના ઉપર તેઓશ્રીની નજર ન પહોંચી શકતી હાય. અત્યંત ભયંકર દેખાવવાળા, અનેક રોગોથી ભરેલા શરીરવાળા અને સારા માણસાને અત્યંત દયા ઉપજાવે તેવા તે વખતે મંદિરમાં દાખલ થયેલા નિપુણ્યક દરિદ્રી ઉપર તે મહારાજાની નિર્મળ નજર કરૂણાપૂર્વક પડી અને તેની દૃષ્ટિ પડવા માત્રથીજ તે દરિદ્રીનાં પાપ કેટલેક અંશે ધોવાઇ ગયાં. સુસ્થિત મહારાજની નજર. એ સુસ્થિત મહારાજે રસેાડાના ઉપરી તરીકે ધર્માધકર નામના રાજસેવકની નિમણુક કરેલી છે તેણે તે વખતે એ દરિદ્રી ઉપર મહારાજાની કૃપાષ્ટિ થઇ છે એમ જોયું; એટલે તે વખતે તે કાંઇક આશયપૂર્વક વિચારવા લાગ્યા કે ‘અહા! હું શું અદ્ભુત નવાઇ ઉપજાવે તેવી હકીકત જોઉં છું ! જેના ઉપર આ રાજાની નજર-દૃષ્ટિ ખાસ કરીને પડે છે તે તુરતજ ત્રણ લોકના રાજા થઇ જાય છે અને આ નિપુણ્યક ધર્મબોધકરની વિચારણા. ૧ કંદ્રના અર્થ શીતઉષ્ણ જેવાં વિરાધદ્રવ્યેા થાય છે, કલેશ પણ થાય છે. અહીં તેને અર્થે સંશય બંધબેસતા આવે છે. એ પણ તેનો અર્થ છે. સંશય હાય ત્યાંસુધી મંદિરમાં પ્રવેશ થઇ શકતા નથી. ૨ પાપ તદ્દન ધેાવાઇ જવાને હજી વખત લાગવાના છે, પણ ધોવાઈ જવાના માર્ગ પર ચડી જવાની શરૂઆત થઇ અને સુસ્થિત મહારાજની કૃપા થઇ એ વાતનું મહત્ત્વ બતાવવા આ પ્રમાણે કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy