SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ ૨૦ દ્રિયને અનેક પ્રકારે શાંતિ પમાડતા હતા. મનને આકર્ષણ કરે તેવાં અનેક સુંદર જૂદી જૂદી જાતનાં ચિત્રો એવી સુંદર રીતે ત્યાં ગોઢવવામાં આવ્યાં હતાં કે જેને જોઇને આંખા તેના પર સ્થિર થઇ જતી હતી અને ત્યાંથી તેને ખસેડવી ન ગમે તેવી રીતે તે નિશ્રળ થઇ જતી હતી. ત્યાં ચંદન, અગર, કપૂર, કસ્તૂરી વિગેરે સુગંધી દ્રવ્યો એટલાં બધાં ચારે તરફ પડી રહેલાં હતાં કે તેનાથી નાસિકાને ઘણી તૃપ્તિ મળતી હતી. કામળ વસ્ત્ર, કામળ શય્યા અને સુંદર લલનાઓના ચેાગથી તેને ચાગ્ય સર્વ જનાની સ્પર્શદ્રિય ત્યાં પ્રસન્ન થતી હતી. ત્યાં મનને પ્રીતિ ઉત્પન્ન કરનાર અને જીભને સ્વાદિષ્ટ લાગે તેવાં અતિ ઉત્તમ પ્રકારનાં ભાજનથી સર્વ પ્રાણીએ સ્વસ્થ થઇ જતા હતા. સર્વ ઇંદ્રિયોને તત્ત્વથી નિર્વાણનું કારણ એવા તે રાજમંદિરને જોઇને આ શું હશે?' એમ તે રંક આશ્ચર્યપૂર્વક વિચારવા લાગ્યા. તેનામાં હજી ઉન્માદ ઘણેા હતેા તેથી આ રાજમંદિર સંબંધી વિશેષ તાત્ત્વિક હકીકત તે જાણતા નહાતા, પરંતુ હવે તેને ચેતના પ્રાપ્ત થવા માંડી તેથી વિચાર કરતાં કરતાં તેના મનમાં આ પ્રમાણે સ્ફુરણા થવા લાગી. તે વિચાર કરેછે કે ‘જે રાજમંદિરમાં નિરંતર ઉત્સવ થઇ રહ્યા છે અને જે મંદિર દ્વારપાળની કૃપાથી હું આજેજ જે છું તે અત્યાર સુધી મારા જોવામાં કદિ પણ આવ્યું નહોતું! આ રાજમંદિરના દરવાજા પાસે અગાઉ પણ હું ઘણી વાર રખડતા રખડતા આવી પહોંચ્યા હતા એમ મને યાદ આવે છે, પણ હજી તેની નજીક આવું ન આવું ત્યાં તે મહાપાપી દ્વારપાળા મને ત્યાંથી હાંકી મૂકતા હતા. ખરેખર મારૂં નામ નિપુણ્યક છે તે પ્રમાણે હું પુણ્ય વગરનાજ છું, જેને લઇને આવું દેવાને પણ મળવું મુશ્કેલ સુંદર રાજમંદિર મેં અત્યાર સુધી અગાઉ કદિ જોયું પણ નહિ અને તેને જોવાના ઉપાય પણ કર્યો નહિ !! માહને લીધે મારી વિચારણાશક્તિ એટલી બધી મંદ પડી ગઇ હતી કે આ રાજમંદિર કેવું હશે તે જાણવાની મને જિજ્ઞાસાê પણ અત્યાર સુધી ઉત્પન્ન થઇ નહિ ! ચિત્તને અત્યંત આહ્લાદ ઉત્પન્ન કરનાર આ સુંદર રાજમંદિર બતાવનાર અને મારી ઉપર મેાટી કૃપા કરનાર આ દ્વારપાળ મંદિરદર્શનથી સ્ફુરણા. ૧ સ્રીએ. ૨ શાંતિ. પાંચે ઇંદ્રિયાને તૃપ્તિ થવાની બાબત બહુ યુક્તિસર લખી છે, તેનાથી ઇંદ્રિયનું નિર્વાણ થઇ જાય છે એ ધ્યાનમાં રાખવાનું છે. એને આધ્યાત્મિક ભાવ વિચારવા યાગ્ય છે. નિર્વાણના અર્થે વિશ્રાંતિ થાય છે અને વિનાશ પણ થાય છે એ બરાબર લક્ષ્યમાં લેવું. ૩ નવું જાણવાની ઇચ્છા, હોંશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy