SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ લડનારા વીર યોદ્ધાનાં પડેલાં માથાંઓ રક્ત કમળની નકલ કરી રહ્યા હતા, તેમાં લેહરૂપ લાલ પાણી ભરેલું દેખાતું હતું અને તેમાં દડો, અસ્ત્રો ( ફેંકવાનાં હથિયાર) અને છત્રના સમૂહો હંસ જેવા દેખાતાં હતાં-એવું એ તળાવ જેવું યુદ્ધ બન્ને પક્ષ વચ્ચે ચાલતું હતું. પ્રવસેન બહારવટીઆની હાર. તે વખતે બહારવટીઆઓ બહુ મોટી સંખ્યામાં હોવાથી કનકશેખર વિગેરે લગભગ હારી જવાની અણી પર આવી ગયા. પરંતુ સુરતમાંજ એ બહારવટીઆઓના ઉપરી પ્રવરસેન નામના પલ્લી પતિ સાથે મારે લડાઈ ચાલી. તે વખતે મારા મિત્ર - વૈશ્વાનરની શ્વાનરે મને દૂરથી સંજ્ઞા (ઇસારત) કરી એટલે તેની અસર તળે. સૂચના પ્રમાણે મે શૂરચિત્ત નામનું એક વડું ખાઈ લીધું તેને પરિણામે મારા ચિત્તમાં જે અંદર સંતાપ (ક્રોધ) હતો તેમાં ઘણું વધારે થઈ ગયો અને મારું કપાળ ભવાઓથી ભરાઈ ગયું તેમજ આખા શરીરે પરસેવાસાથે જુસ્સો દેખાવા લાગે. તે પ્રવરસેન તીરંબાજી (ધનુર્વેદ)માં ઘણાજ કુશળ હતા, તરવારથી પટ્ટાબાજી ખેલવામાં સુસંપન્ન સાહસવાળો હતો, સર્વ ફેંકવાનાં હથિયારો (અસ્ત્રો)નો ઉપગ કરવાની કળામાં ઘણે નિપુણ હતો, શસ્ત્રવિદ્યાના ગર્વવાળો હતો અને દેવતાની તેના ઉપર કૃપા હોવાથી સર્વ રીતે બળવાનું ગણાતો હતો. પ્રવરસેનની આટલી બધી ખ્યાતિ છતાં મારી બાજુમાં મારે મિત્ર પુણ્યદય રહેલો હોવાથી તે પલ્લી પતિ મારી તરફ ગમે તેટલાં તીરે મારે પણ તેમાંનું એક પણ મને લાગતું નહોતું, તેનાં મંત્રેલાં શસ્ત્રો મારા ઉપર કશે પ્રભાવ બતાવી શકતાં નહિ, તેની વિદ્યા મારા ઉપર કોઈ અસર કરી શકતી નહિ અને તેના બોલાવેલા દેવતાઓ પણ મારા સંબંધમાં કાંઈ પણ કરી શકતા નહિ. આવો મારા પુદય મિત્રને પ્રભાવ હોવા છતાં હું તે મારા મનમાં માનતો હતો કે અહો! મિત્ર વૈશ્વાનરને પ્રભાવ તે જુઓ ! તેની નજર માત્રથી આ મારા શત્રુઓ મારી સામે નજર નાખવાની પણ હિંમત કરી શકતા નથી. મારા ૧ નંદિવર્ધન કુમાર પોતાની વાર્તા અગ્રહીતસંકેતાને ઉદ્દેશીને સદાગમ સમક્ષ કહે છે; તે વખતે તે સંસારીજીવના નામથી ઓળખાય છે. ૨ અહીં હિંસા અને ક્રોધ બન્ને એક સાથે પોતાની અસર બતાવે છે. ક્રોધ થતાં ચિત્ત કર થઈ જાય છે તે દરરોજના અનુભવને વિષય છે. ૩ પુણ્યને ઉદય પ્રાણું સમજી શક્તો નથી; કાં તો તે પોતાની બહાદુરી સમજે છે અથવા વિકારને શુભ ઉદયનું કારણ સમજે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy