SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૨ મું. અંબરીષ બહારવટીઆને નાશ અને લગ્ન. નશેખર અને હું ( નંદિવર્ધન ) લરકર સાથે આગળ ચાલતાં ચાલતાં કનકચૂડ ( કનકશેખરના પિતા-કુશાવતપુરના રાજા )ના દેશના સિમાડા લગભગ આવી પહોંચ્યા. ત્યાં એક વિષમસૂટ નામના પર્વત હતા. એ પર્વત ઉપર મહારાજ કનકચૂડના મંડળને મેાટા ઉપદ્રવ કરનાર અંબરીષ નામના બહારવટીઆ વસતા હતા. તે મહારવટીઆઓને અગાઉ કનકચૂડ રાજાએ ઘણા પ્રકારની પીડા ઉત્પન્ન કરી હતી અને તેમને બહુ ત્રાસ આપ્યા હતા. વિષકૂટ તે બાબતનું તે બહારવટીઆ ઘણું વેર રાખતા હતા અને તે તૃપ્ત કરવાના પ્રસંગ શોધતા હતા. તેઓને ખબર પડી કે પેાતાના દુશ્મન કનકચૂડ રાજાના પાટવી કુમાર કનકરશેખર એ રસ્તે થઇને કુશાવર્તપુરે જવાના છે એટલે તુરતજ તે રસ્તા રોકીને બેઠા. અમારૂં અને એ બહારવટીઆનું લશ્કર એક બીજાની નજીક થઇ ગયું એટલે તુરત જ કલકલ શબ્દ કરતાં બહારવટીઆ અમારા લશ્કર પર તૂટી પડ્યા. તે વખતે અમારા લશ્કર અને બહારવટીઆના મેટા ટાળા વચ્ચે લડાઇ શરૂ થઇ. ભયંકર લડાઈ. અખરીયા. તે વખતે એક પછી એક આવી પડતાં તીરેાના વરસાદથી વીંધાયલા હાથીના કુંભસ્થળમાંથી નીકળતાં શ્વેત માતીઓના ઢગલાથી જમીનના સર્વ ભાગ ઢંકાઇ ગયા. તે યુદ્ધ મોટા તળાવ જેવું લાગતું હતું-તે યુદ્ધરૂપ તળાવમાં ૧ અંબરીષને અર્થે પસ્તાવા થાય છે. તે નામના પરમાધામી છે. મતલબ અધમ જાતના માણસને આ શબ્દ લાગુ પડે છે. ૨ તળાવનું રૂપક બરાબર વિચારવા ચાગ્ય છે. તેનાં કમળ, જળ અને હંસને ખરાખર ઘટાવ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy