SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ નંદિવર્ધન— એ હિંસાદેવી મારા ઉપર ઘણી અનુરક્ત (પ્રેમ વાળી) રહે તેના ઉપાય શા છે?” "C વૈધાનર કોઇ પણ પ્રાણીએ અપરાધ કર્યો હાય કે ન કર્યો હાય પરંતુ તેને મારી નાખવામાં તારે જરા પણ વિચાર કરવા નહિ આડું અવળું જોવું નહિ-એ હઁસા દેવીને પાતાપર આસક્ત કરવાના પ્રથમ ઉપાય છે. ' નંદિવર્ધન—“ એમ ધારો કે હિંસાદેવીના મારા પર ઘણાજ પ્રેમ થાય અને તે મારા ઉપર આસક્ત રહે તેા પછી તેનું પરિણામ શું આવે ? ' વૈશ્વાનર~ અરે ભાઇ નંદિવર્ધન ! મારા કરતાંએ એના પ્રભાવ તેા ઘણા જખરો છે! વાત એમ છે કે જ્યારે હું પુરૂષના અંતરંગ રાજ્યમાં આવું છું ત્યારે તે પ્રાણીમાં એક લાલ રંગનું તેજ આવી જાય છે તેના જોરથી તે બીજા પ્રાણીઓ ઉપર ત્રાસ બેસાડી શકે છે, પરંતુ આ હિંસા ને પ્રાણી ઉપર આસક્ત થઇ ખૂબ પ્રેમથી ભેટી પડે તે તેને પ્રભાવ ઘણા વધારે હાવાથી દર્શન માત્રથી જ તે પ્રાણીના પ્રાણનો નાશ કરે છે. તેટલા માટે ગમે તેમ કરીને એ (હિંસા) તારા ઉપર વધારે પ્રસન્ન થાય એમ વર્તવા મારી વિનતિ છે. ” નંદિવર્ધન— વારૂ, એમ વર્તીશ. ” વૈશ્વાનર~~ ઘણી મહેરબાની ! ” ત્યાર પછી રસ્તે ચાલતાં હરણ, સુવર, ઊંટ, સાબર ( એક જાતના મૃગ ), સારંગ (હરણની જાત) વિગેરે જંગલમાં રહેનારા અનેક જનાવરોને ઇચ્છા પ્રમાણે હું મારવા લાગ્યા. એ જનાવરને એટલી મેાટી સંખ્યામાં મારવા લાગ્યો કે કોઇવાર સેંકડો અને કાઇવાર હજારાના નાશ કરવા લાગ્યા. તેમ કરવામાં મારા હેતુ મારા દાસ્તદાર વૈશ્વાનરની શિખામણ પ્રમાણે ચાલવાના હતા. એ પ્રમાણે કરવાથી મારી નવપરિણિત સ્ત્રી હિંસાદેવી મારી ઉપર ઘણી રાજી થઇ અને મારાપર આસક્ત ચિત્તવાળી થઇ. છેવટે વાત એટલે સુધી વધી પડી કે મને જોઇને પ્રાણીમાત્ર ત્રાસથી ધ્રુજવા લાગ્યા અને કોઇ કોઇ જીવાના તેા પ્રાણ મને જોઇને જ નીકળી જવા લાગ્યા. મારા મિત્ર વૈશ્વાનરે મને હિંસાના પ્રભાવ કહ્યોજ હતા તે પ્રમાણે દર્શન માત્રથી તે અન્યના પ્રાણના નાશ કરશે તે વાતમાં મને હવે બરાબર વિશ્વાસ પડ્યો. શિકારમાં પ્રવૃત્તિ. Jain Education International ૧ ક્રોધથી સામા પ્રાણી ઉપર ધાક બેસે છે. ૨ હિંસાના પરિણામે પ્રાણ ચાલ્યા જાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy