SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૧] રૌદ્રચિત્તે હિંસાલગ્ન. પછ ( દીકરીનું લગ્ન મારા તે મિત્ર સાથે કરાવી આપું. જો એ મન્નેનાં લગ્ન થઇ જાય તા મારાં સર્વ ( ધારેલાં) કાર્યો કરતાં કુમાર જરા પણ આંચકા ખાય નહિ અને મારૂં કામ ખરાબર સિદ્ધ થઇ જાય-આ પ્રમાણે પેાતાના મનમાં વિચાર કરીને તેણે મને કહ્યું કે · ચાલે, આપણે રૌદ્રચિત્ત નગરે જઇએ. ' મેં જવાખમાં કહ્યું કે ભલે ! પણ કનકશેખર વિગેરેને પણ સાથે લઇએ. ’ વૈશ્વાનરે કહ્યું એ નગરમાં તે પ્રવેશ કરી શકશે નહિ, કારણ કે રોચિત્ત નગર અંતરંગમાં આવેલું છે, તેથી તારા સગા એહી કે માણસા વગર માત્ર મારી મદદથીજ ત્યાં તું એકલા જઇ શકીશ.’ આવાં તેનાં વચન સાંભળીને કુમાર (હું પોતે) તેનું વચન ઉત્થાપી શકતા ન હોવાને લીધે, તેના ઉપર મારા ઘણા એહ હોવાને લીધે, મારૂં મન અજ્ઞાનમાં તરબાળ થયેલું હાવાને લીધે, તે માણસ મારા ખરેખરા દુશ્મન છે એ હકીકત હું તે વખતે સમજા ન હાવાને લીધે, પેાતાના આત્માનું ખરૂં હિત અને અહિત શેમાં અને કયાં રહ્યું છે તેના મને તે વખતે વિચાર ન હોવાને લીધે અને ભવિષ્યમાં એથી કેટલા ત્રાસેા અને હેરાનગતિ થશે તે પ્રથમથી જાણેલ ન હેાવાને લીધે હું અગૃહીતસંકેતા! હું મારા મિત્ર વૈશ્વાનર સાથે રૌદ્રચિત્ત નગરે ગયા, ત્યાં મેં મહારાજા દુષ્ટાભિસન્ધિને જોયા, વૈશ્વાનરે તેની સાથે વાતચીત કરીને તેની કન્યા હિંસા સાથે મારા વિવાહનું નક્કી કર્યું અને અનુક્રમે અમારાં (મારાં અને હિંસાનાં ) લગ્ન થયાં. લગ્નને યોગ્ય જે ઉચિત ક્રિયાઓ કરવી જોઇએ તે સર્વે તે વખતે કરવામાં આવી. હિંસાપ્રેમી નંદિવર્ધન. પ્રેમ વધારવાના ઉપાયા, ઉપાયની સાધનાનાં પરિણામેા. આવી રીતે દુષ્ટાભિસન્ધિ રાજાએ મને પરણાવીને વિદાય કર્યો. ત્યાંથી વૈશ્વાનર અને હિંસા બન્નેને સાથે લઇને હું કનકશેખર અને અમારા લરકર ભેગા થઇ ગયા. ત્યાં જતાં રસ્તામાં અત્યંત આનંદમાં આવી જઇ વૈશ્વાનરે મારી સાથે વાતેા કરવા માંડી. વૈશ્વાનર્—મિત્ર નંદિવર્ધન ! હું આજે ખરેખરા ભાગ્યશાળી થયા !” નંદિવર્ધન ( હું પાતે )—“ તે કેવી રીતે ? ” વૈશ્વાનર્—“તું આ હિંસા ઢવીને પરણ્યો તે બહુ સારૂં કામ થઇ ગયું! હવે તને મારી એકજ વધારે પ્રાર્થના છે કે કાઇ પણ રીતે હવે તે તારા ઉપર ઘણી પ્રેમવાળી રહે અને તે પ્રેમ ચાલુ રહે તેવી રીતે તારે નિરંતર વર્તવું.” ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy