SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ ચિત્ત નગરથી નીકળીને રૌદ્રચિત્ત નગરમાં આવી હતી. એ તામસ ચિત્ત નગર કેવું છે, એ દ્વેષગજેન્દ્ર રાજા કેવા છે, તેની વિવેકિતા રાણી કેવી છે અને તામસચિત્ત નગરથી રૌદ્રચિત્તપુર નગરમાં એ અવિવેકિતાને જવાનું કારણ શું બન્યું હતું તે સર્વ અમે આગળ જતાં કહીશું. ભદ્રે અગૃહિતસંકેતે! આ બધી હકીકતની મને તે વખતે તા જરા ખબર પણ પડી નહાતી અને મને એ વાતની ગંધ પણ આવી નહાતી; આ સદાગમ મહાત્માની કૃપાથી હમણા એ સર્વ હકીકત મારા સમજવામાં આવી છે તે હું તને કહુંછું. વાત ઘણી આશ્ચર્ય ઉપજાવે અને વિચારમાં નાખી દે તેવી છે તેથી તે બરાબર સાંભળજે અને પછી વિચારજે. હિંસા સાથે નંદિવર્ધનનું લગ્ન, એ વિવેકિતા રૌદ્રચિત્ત નગરમાં આવીને કેટલાક વખત રહી. તેને દુષ્ટાભિસન્ધિ રાજા સાથે વધારે ગાઢ પરિચય થયા. અસલમાં વાત એમ હતી આ દુષ્ટાભિસન્ધિ રાજા જે પદ્મીપતિ હતા તે અવિવેકિતાના પતિ દ્વેષગજેંદ્રના ખાસ સંબંધી હતા તેથી તે રાણી અવિવેકિતાના દાસ હોય તેમ વર્તતા હતા. હું જ્યારે મનુજગતિ નગરીમાં આવ્યો છું એમ એ અવિવેકિતા બ્રાહ્મણીને ખબર પડી ત્યારે તેને મારા ઉપર ઘણા પ્રેમ હાવાથી રૌદ્રચિત્ત નગરથી નીકળીને તે મારી પાસે મનુજગતિ નગરીમાં આવી પહોંચી અને જે દિવસે મારે જન્મ થયા તેજ દિવસે તેણે વૈશ્વાનર નામના પુત્રને જન્મ આપ્યો. જેમ હું વધતા ગયા તેમ વૈશ્વાનર પણ મોટો થવા લાગ્યા. જ્યારે વૈશ્વાનર સમજણા થયા ત્યારે પાતાના એડીઓ સંબંધીઓ કાણુ કાણુ હતા તે સર્વ હકીકત અવિવેકિતાએ તેને કહી બતાવી હતી. વૈશ્વાનર તે મારી સાથે જ રહેતા. સંબંધ દર્શન. હવે અમે જ્યારે કુશાવર્તપુરે જવા માટે પ્રયાણ કરતા અરધેક રસ્તે આવ્યા ત્યારે મારા પ્રિય મિત્ર વૈશ્વાનરના મનમાં એવી બુદ્ધિ ઉત્પન્ન થઇ કે-આ મંદિવર્ધન કુમારને રૌદ્રચિત્ત નગરે લઇ જઉં અને મહેનત કરી દુષ્ટાભિસન્ધિને સમજાવી તેની હિંસા નામની ૧ જીએ પ્રસ્તાવ ચેાથે!, પ્રકરણ ત્રીજું; ત્યાં દ્વેષગજેંદ્રનું પણ વર્ણન આવશે. ૨ સંસારીજીવ સદાગમ સમક્ષ પેાતાની વાત અગૃહિતસંકેતાને ઉદ્દેશીને કહે છે. ૩ એટલે જ્યારે હું મનુષ્ય થયા ત્યારે અવિવેક અને ક્રોધ સાથે જ જન્મ્યા, જીએ પૃ. ૩૪૬ વૈશ્વાનરસાથે રૌદ્રચિત્તપુરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy