SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૧] રોદ્રચિત્તે હિસાલગ્ન. ૫૭૫ દુષ્ટાભિસન્ધિ રાજા તેને કાંઇ પણ હુકમ કરે તેનેા તે દીકરી દિ પણ અનાદર કરતી નહેાતી અને નિષ્કરૂણતા માતા જે કાંઇ ફરમાવે તેને પણ બરાબર અનુસરતી હતી, પોતાના મામાપની બની શકે તેટલી ચાકરી કરવા તે નિરંતર તત્પર રહેતી હતી તેટલા માટે તેને ' માત પિતા તરફ વિનયવાળી ? કહેવામાં આવી છે. ( હવે તે હિંસા પુત્રીને રૂપમાં ઘણીજ ભયંકર આકૃતિવાળી શામાટે કહેવામાં આવી છે તેનું કારણુ કહું છું તે સાંભળાઃ એ દીકરીનું નામજ એટલું ભયંકર હતું કે તે સાંભળવાથી લેાકેાનાં મનમાં ત્રાસ થઇ જાય તે। પછી તેને જ્યારે સાક્ષાત્ નજરે જુએ ત્યારે તે તે કેટલી ભયંકર લાગતી હશે તેના ખ્યાલ તમેજ કરો. પાતાનું માથું નીચું કરીને તેનાવડે પ્રાણીને ધક્કો મારી નરકરૂપ મહા ઊંડા ભયંકર ખાડામાં તે નાખી દેછે અને ત્યાં પ્રાણીને અત્યંત સંતાપનું કારણ બને છે. એ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે, સર્વ ધર્મનેા નાશ કરનારી છે, એ અંતરમાં તાપ લાવનારી છે અને એની શાસ્ત્રકારોએ વારંવાર નિંદા કરેલી છેઘણું શું કહેવું ! ટુંકામાં કહીએ તે જેવી ભયંકર આકૃતિવાળી એ હિંસા દીકરી છે તેના જેટલી ભયંકર આ દુનિયામાં બીજી કોઇ સ્ત્રી નથી. તામચિત્ત નગરને પરિવાર. હવે એક તામસચિત્ત' નામનું નગર છે. ત્યાં મહામેાહુ નરપતિને દ્વેષગજેંદ્ર નામના છોકરો રહે છે. અગાઉ વાર્તામાં એમ કહેવામાં આવ્યું હતું કે મારે મિત્ર વૈશ્વાનર અવિવેકિતા નામની બ્રાહ્મણીના દીકરો છે. એ વિવેકિતા બ્રાહ્મણી આ દ્વેષગજેન્દ્રની સ્ત્રી થાય છે; મતલબ મારો વૈશ્વાનર મિત્ર આ દ્વેષગજેન્દ્રના દીકરા થાય છે. હવે વાત એમ અની હતી કે મારા મિત્ર વૈશ્વાનર જ્યારે એ અવિવેકિતાના પેટમાં હતા ત્યારે કોઇ કારણને લઇને એ અવિવેકિતા દેવી પેાતાના તામસ ૧ અહીં રૌદ્રચિત્તપુર અને તામસચિત્ત નગરની સ્પષ્ટતા વાંચનારે કરી લેવી. રૌદ્રચિત્ત નગરમાં હિંસાને લગતી વાતા આવશે. એને દુષ્ટાભિસન્ધિ રાજા ક્રૂર છે, કરૂણા વગરની નિષ્કરૂણતા રાણી છે અને હિંસા દીકરી છે. એ પ્રથમ પાપસ્થાનકને ઉદ્દેરો છે. તામસચિત્ત નગરમાં ક્રોધ-પ્રથમ કષાય મુખ્યપણે વર્તે અને તેની સર્વ હકીકત એ નગરને અંગે આવશે. વૈશ્વાનર એ ક્રોધ છે. અહીં હિંસા અને ક્રોધના વિષયને સાથે લીધેલ છે એ ધ્યાનમાં રાખવું. ૨ જુએ અગાઉ પૃ. ૩૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy