SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૨ ] અંબરીષ બહારવટીઆના નાશ અને લગ્ન. ૫૧ ઉપર તે વખતે વૈશ્વાનરનાં વડાંએ ખરાબર અસર કરી તેના પરિણામે આખરે પ્રવરસેનનું ધનુષ્ય ભાંગી ગયું અને તેનાં બાકીનાં સર્વ શસ્રો નાશ પામી ગયાં એટલે તે પેાતાના હાથમાં ઝગમગતી તરવાર લઇને રથમાંથી નીચે ઉતર્યો અને મારી સામે આવ્યેા. તે વખતે મારી નવપરિણિત પત્ની શ્રીમતી હિંસાદેવી જે મારી બાજીમાં હતી તેણે મારી તરફ નજર કરી એટલે મારાં પરિણામે ઘણાંજ ભયંકર ( રૌદ્ર) થઇ ગયાં અને મારા કાન સુધી ખેંચીને મેં અર્ધચન્દ્રાતિનું આણ પ્રવસેનપર છેડ્યું, જે મણે સામા આવતા પ્રવરસેનનું માથું ઉડાવી દીધું. તે વખતે અમારા લશ્કરમાં આનંદને હર્ષનિ ફેલાઇ રહ્યો, દેવતાઓએ મારા ઉપર આકાશમાંથી ફુલની વૃષ્ટિ કરી, સુગંધી જળનેા વરસાદ થયા અને દુંદુભિએ વાગવા માંડી, તેમજ ચારે તરફ · જય જય ' શબ્દના નાદ વ્યાપી રહ્યો. પાતાના ઉપરી મરાઇ જતાં પ્રવરસેનનું લશ્કર નાઉમેદ થઇ ગયું અને લડાઇ અંધ કરીને તે સર્વ લશ્કર મારે શરણે આવ્યું. મેં એ સર્વ ચાર લોકોના સત્કાર કર્યો એટલે લડાઇ અંધ થઇ, સુલેહશાંતિ પ્રકટ થઇ અને સર્વ બહારવટીઆઓએ મારી નાકરીનેા સ્વીકાર કર્યાં. હિંસાદેવીની અસર તળે. પુણ્યાયનું સર્વ માન દેવીને! મેં મારા મનમાં તે વખતે વિચાર કર્યો કે અહા ! હિંસાદેવીની શક્તિ તા ભારે જબરી જણાય છે! જુઓ તે ખરા ! એણે હજી મારી તરફ જરા નજર કરી ત્યાં તે આટલા બધા રસ્તા સરળ થઇ ગયા અને મારી આબરૂ આટલી બધી વધી પડી કે જેથી ચાર લોકો ( દુશ્મન છતાં) પણ મારી નાકરીમાં રાજી ખુશીથી જોડાઇ ગયા! કનકશેખરે પણ એ મારા નવીન નાકરવર્ગને યોગ્ય સન્માન આપ્યું. કનફ્યૂડના આનંદ અને મહેાત્સવ, વિમલાનના કનકરશેખર લગ્ન. નંદિવર્ધન–ભવતી લગ્ન. અમે ત્યાર પછી તુરતજ વિષમકુટ પર્વતથી આગળ પ્રયાણ કર્યું અને અનુક્રમે સર્વ કુશાવર્તપુરે આવી પહોંચ્યા. કનકચૂડ રાજા પેાતાના પુત્ર નકરશેખરના આવી પહોંચવાની ખબર પડતાં ઘણાજ આનંદમાં આવી ગયા અને મને સાથે જોઇને અહુજ સંતેષ પામ્યા. આનંદને ઉજવવાને માટે રાજાએ મહોત્સવ કર્યો અને પેાતાના સંબંધી વર્ગનું યેાગ્ય સન્માન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy