SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ પર ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૩ મંડળ મળ્યું અને તેઓએ રાજાને ધીરજ દેવા માંડી. તેઓએ કહ્યું કેઆપ કરે છે તે કાંઇ કુમારને મળવાને ઉપાય નથી, માટે દીલગીરી છેડી દા, ધીરજ રાખેા અને કુમારને શેાધવાના પ્રયત્ન કરો.' રાજાએ તેનું તે વચન જરા પણ સાંભળ્યું જ નહિ અને પોતે વધારે વધારે દીલગીરી કરવા લાગ્યા. C “ એવી હકીકત જોઇને કુમારના સેવક ચતુરે પોતાના મનમાં વિચાર કર્યાં કે-રાજા એટલા બધા શાક અત્યારે કરે છે કે જો એમને એમ ચાલશે તે જરૂર એમના પ્રાણ જશે, માટે હવે એ માબતમાં બેદરકારી રાખવી ઠીક નથી–એવે! વિચાર કરીને તે તુરત જ રાજાને પગે પડ્યો અને ‘કુમાર અહીંથી કારણસર બહાર ચાલ્યા ગયા છે.' એટલી હકીકત જણાવી. ‘કુમાર હજી ચાક્કસ જીવે છે–એટલી ખાત્રી થતાંજ રાજાને ફરીવાર શુદ્ધિ આવી. પછી તેમણે ચતુરને પૂછ્યું કે ‘કુમાર શા માટે અને ક્યાં ગયા છે ?’ ચતુરે ઉત્તરમાં જણાવ્યું ‘અહીંથી ચાલ્યા જવાનું કારણ મને કુમારશ્રીએ જણાવ્યું નથી. બાકી જરા ચતુર (ડાહ્યો) હાવાથી મેં તે ક્યાં ગયા છે તે જાણી લીધું છે; તેટલા ઉપરથી અટકળ કરીને કહું છું કે એ જયસ્થળ નગરે પેાતાની ફાઇ પાસે ગયેલા હશે. નંદા મા (નંદિવર્ધનની માતા)ને કુમાર ઉપર અહુ પ્રેમ છે અને પદ્મરાજા પણ તેમનાપર બહુ હેત રાખે છે. કુમારની સાથે મારે વધારે પરિચય હોવાથી આટલી હકીકત હું અટકળથી ધારૂં છું અને મને ખાતરી છે કે જે તે અહીંથી ચાલ્યા જાય તે તેના મનને સંતેાષ મળે તેવું સ્થાન નંદામાનું રાજ્ય જ છે, સિવાય બીજી કોઇ જગાએ કુમારશ્રી જાય એમ મને લાગતું નથી.' રાજાએ તે વખતે ચતુરના વખાણ કરીને તેને ઇનામમાં મેટું દાન આપ્યું. રાજાને તપાસ કરતાં જણાયું કે એ સર્વ અનર્થનું કારણ પેલા દુર્મુખ મંત્રી જ છે એટલે તેના આખા કુટુંબ સાથે તેને પોતાના દેશથી બહાર કાઢી મૂક્યો. વળી તેજ વખતે પિતાશ્રી કનકચૂડ રાજાએ તથા દેવી ચૂતમંજરીએ પ્રતિજ્ઞા કરી કે ‘જ્યાં સુધી આપણે કુમારનું મ્હાઢું જોઇએ નહિ ત્યાં સુધી આપણે આહાર લેવા નહિ અને શરીરે ન્હાવું ધોવું કે બીજા કાંઠે પણ સંસ્કાર કરવા નહિ.’ “ હવે વળી તેજ દિવસે એક દંતર ત્યાં (કુશાવર્તપુરમાં) આવી કુમારને પત્તો મને દુર્મુખને દેશવટા. ૧ કનકચૂડના દૂતાએ પેાતાને જણાવેલી હકીકત પદ્મરાજા નકરોખર કુમાર પાસે કહી સંભળાવે છે અને નંદિવર્ધન બાજુમાં બેસી સાંભળે છે. ૨ આ દૂતનું નામ વિકટ છે તે પ્રકરણ ૨૩ માં જણાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy