SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ Janeasa પ્રકરણ ૨૦ મું. વિમલાનના અને રસવતી. છે ને દિવન કુમારે કનકશેખરની પૂર્વવાર્તા સાંભળી સહાનુ| === ભુતિ દર્શાવતાં કહ્યું “ભાઈ ! જણાવ્યું તેવા સંયોગોમાં તે ત્યાંથી ચાલી નીકળવાનું કામ તો બહુ સારું કર્યું ! કરી જેઓ પિતાનું સ્વમાન શું છે તે સમજતા હોય તેવા '*6 VI પુરૂએ માનની હાનિ કરનારના સંબંધમાં વધારે વખત રહેવું કઈ પણ રીતે યોગ્ય નથી. લેકેમાં કહેવાય છે કેસ્વમાનના વિચાર, भास्करस्तावदेवास्ते गगने तेजसां निधिः, निर्भीय तिमिरं यावत्कुरुते स जनोत्सवम् । यदा तु लक्षयत्येष तमसोऽपि महोदयम् , तदा परसमुद्रादी गत्वा कालं प्रतीक्षते । “તેજનો ભંડાર સૂર્ય અંધકારને દૂર કરીને લેકનાં મનને ઉત્સવ કરી શકે છે ત્યાં સુધી જ તે આકાશમાં રહે છે, જ્યારે તે મોટા અંધકારનો ઉદય નજરે જુએ છે ત્યારે બીજા કેઈ સમુદ્રમાં પેસી જઈને રાહ જુએ છે (અને વળી લાગ આવે છે ત્યારે અંધકારનો નાશ કરીને પોતાના પૂર જેરમાં પ્રકાશે છે.” કનકશેખરને પાછા તેડવા આવેલા તે. મેં આવાં વચને જ્યારે કનકશેખરને કહ્યા ત્યારે તે બહુ ખુશી થ. આવી રીતે અમે સર્વ પ્રકારના આનંદ અને વાર્તાવિદ કરતા હતા. તેવી રીતે દશ રાતદિવસ પસાર થઈ ગયા. પછી અગ્યારમે દિવસે મારા વાસભુવનમાં અમે બન્ને બેઠા હતા તે વખતે મારા પિતાશ્રી તરફથી સંદેશ લઈને એક માણસ આવ્યો અને અમને બન્નેને પ્રણામ કરીને તેણે કહ્યું “મહારાજા સાહેબે આપ બન્ને રાજકુમારને આજ્ઞા કરી છે કે તમારે બન્નેએ મહારાજા ૧ આ આખી અન્યક્તિ છે. અંધકારનો ઉદય થાય છે ત્યારે સૂર્ય સમુદ્રમાં પેસી જાય છે. અહીં અંધકાર સાથે દુર્મુખ, સૂર્ય સાથે કનકશેખર, પરસમુદ્ર સાથે જયસ્થળ નગર અને રાહ જોવાની વાત સામાન્ય સમજવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy