SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯ ] ખટપટી દુર્મુખ અને કનકશેખર. ૫૬૩ પિતાના જોરથી જ દુર્મુખ આવું વર્તન કરતા હોત તો તે તેની ધૃષ્ટતાનું ફળ બરાબર ચખાડી આપત; પણ કોઈ અન્ય માણસ કે કાર્ય કરે અને તેનો નિષેધ કરવામાં ન આવે તો તેમાં સંમતિ જ ગણાય છે એ નિયમ હોવાથી પિતાજીએ આ બાબતમાં આંખ આડા. કાન કર્યા અને દુર્મુખને એવું કામ કરતાં વાર્યો નહિ તેથી પિતાજીની પણ એ બાબતમાં સંમતિ જ જણાય છે. ભગવાને કહ્યું છે કે માતાપિતાના ઉપકારને બદલે વળે તેમ નથી, માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે પિતાજી સાથે લડવું યોગ્ય નથી અને હાલ જે કામ ચાલવા લાગ્યું છે-શ્રાવકેપર કર અને દંડની હકીકત ફરી ગોઠવાઈ છે તેને તેવા આકારમાં હું કઇ રીતે જોઈ શકું તેમ નથી, તેથી અહીંથી ચાલ્યા જવું એજ સારું છે. આ પ્રમાણે વિચાર કરીને કેઈને પણ જણાવ્યા વગર માત્ર થોડા ખાસ મિત્રોને સાથે લઈને હું ત્યાંથી નીકળી ગયો અને અહીં આવ્યું. ભાઈ નંદિવર્ધન! આ પ્રમાણે પિતાએ મારું અને પમાન કર્યું છે એ વાત તારા સમજવામાં આવી ગઈ હશે.” ૧ જયસ્થળ નગરમાં નંદિવર્ધન પાસે કનકશેખરે આ પ્રમાણે પોતાના અપમાનની કથા કહી સંભળાવી તે પૃ. ૫૫૪ થી શરૂ થયેલ છે. આ સર્વ હકીકત સારીજીવ સદાગમ આગળ કહે છે તે બીજા પ્રસ્તાવથી ચાલુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy