SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૨ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૩ સાચું શું અને કેટલું છે તે કાંઈ કહી શકાય નહિ. એનું કારણ એમ છે કે પ્રથમ એણે મારી સાથે વાત કરી ત્યારે ઘણું વિચારીને કહેતો હોય તેવી રીતે સલાહ આપવા માંડી અને ત્યાર પછી જ્યારે તેણે મારે જવાબ સાંભળ્યો ત્યારે વાત ઉડાવવાનો પ્રયત્ન આદર્યો અને બાજી ફેરવી નાખી. તેથી તેનો આશય જાણવાની જરૂર છે-આ પ્રમાણે વિચારીને મારી પાસે એક ઘણે યુક્તિવાળે ચતુર નામને ભાયાત હતો તેને આ સર્વ વાત સમજાવીને તપાસ કરવા સારૂ મોકલ્યો. એ ચતુર કેટલાક દિવસ ગયા પછી મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે “સાહેબ ! આપની પાસેથી નીકળીને હું દુર્મુખની પાસે ગયો. તેને કેટલોક વિનય કરીને તેને રાજી કર્યો અને આખરે હું તેની નોકરીમાં જોડાઈ તેનો અંગરક્ષક થયો. પછી ત્યાં શું થાય છે તે જેવા લાગે. દુર્મુખે બધી જગાએથી મુખ્ય આગેવાન શ્રાવકોને પોતાની પાસે બોલાવીને તેઓને કહ્યું “અરે! કનકશેખર કુમાર તે ખોટા ધર્મના ઝનુનમાં આવી જઈને જાણે કે ભૂત તેને વળગ્યું હોય નહિ તેમ રાજ્યને નાશ કરવા ઊભા થયા છે. તેથી હવે પછી કુમાર તમને કાંઈ દાનમાં આપે અને રાજ્યભાગને જે કાંઈ કર તમારી પાસે વસુલ કરવાનો રાજ્યને હક થાય, તે બન્ને દાન અને કર તમારે ખાનગી રીતે મને આપી જવાં અને એ હકીકત તમારે ભૂલે ચૂકે પણ કુમારને જણાવવી નહિ. જો એમ કરવામાં તમે જરા પણ ગફલતી કરશે તો. જીવનાં જશે.” દુર્મુખની આ આજ્ઞા શ્રાવકલેકેએ માથે ચઢાવી અને તેઓ અમાત્યની પાસેથી બહાર નીકળ્યા.” કનકશેખર કુમાર નંદિવર્ધન પાસે આગળ વાત જણાવતાં કહેવા લાગ્યો કે ચતુરની આ હકીકત સાંભળીને મેં તે વખતે ચતુરને પૂછયું, “પિતાજીને આ હકીકતની ખબર પડી છે?” ચતુરે કહ્યું “હા જી ! પિતાજીને એ સર્વ હકીકતની ખબર પડી છે.” ત્યારે વળી મેં પૂછયું, કેની પાસેથી એ સર્વ વાત પિતાજીએ જાણી?” ચતુરે જવાબમાં મને કહ્યું “એ દુર્મુખની પાસેથી જ સર્વ હકીકત પિતાજીએ જાણી.” ત્યારે વળી મેં તેને વધારે પૂછયું “પિતાજીએ એ હકીકત સાંભળીને શું કર્યું?” ચતુરે જવાબ આપે–“પિતાજીએ એ વાત સાંભળીને કાંઈ કર્યું નહિ, માત્ર આંખ આડા કાન કર્યા આ સર્વ હકીકત સાંભળીને મેં મારા મનમાં વિચાર કર્યો કે જે પિતાજીની આજ્ઞા વગર ૧ બોડી ગાર્ડ. ૨ રો. એ. એ. વાળા મૂળ પુસ્તકનું અત્ર પૃ. ૩૫૧ શરૂ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy