SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯] ખટપટી દુર્મુખ અને કનકશેખર ૫૬૧ લોકો તરફ રાજ સેવા કરવી જ ઘટે છે અને તેવી રીતે હું તેઓની સેવા કરું છું. ત્રણ ભુવનને નાથ શ્રીજગતનાથ જેમના નાથ હેય તેઓના જે નોકર થાય તે આ દુનિયામાં ખરેખર રાજા છે અને બાકીના સર્વ કરે છે. આ પ્રમાણે લેવાથી મેં અત્યાર સુધીમાં જે આચરણ કર્યું છે તેમાં રાજનીતિને શું ઉલ્લંઘન કર્યું છે કે જેથી તમે ઉપર જણુંવ્યા તેવા આકરા શબ્દો મને કહેવા તૈયાર થઈ ગયા છો? હું જે ધર્મવાત્સલ્ય કરું છું તે ખોટું છે એમ કહીને તે સાચું કહું તે તમે તમારું નામ દુર્મુખ છે તે પ્રમાણે સાચેસાચું તમારા આ ભાનું દુર્મુખપણું સ્પષ્ટ કર્યું છે !” પ્રપંચી સરળતા, આ પ્રમાણે મેં દુર્મુખને જવાબ આપ્યો એટલે તે માટે અભિપ્રાય સમજી ગયે; તેથી તેણે પિતાના મનમાં વિચાર કર્યો કે જેનદર્શન ઉપર આ કુમારને અત્યંત પ્રેમ લાગે છે. એના મનપર તે બાબતની ઘણી જ અસર થઈ ગઈ જણાય છે અને મારા વચનથી તે મારા ઉપર ગુસ્સે થઈ ગયા જણાય છે, તેથી હાલ એ બાબત વધારે છેડવામાં કાંઈ માલ નથી. રાજાને મેં આ બાબતમાં પ્રથમથી જ સીધા કર્યા છે તે આને પણ આગળ જતાં અનુક્રમે બરાબર ઠેકાણે લાવીશ. હાલ તે એને પણ ફોસલાવું એટલે કામ કરવાની મજા આવશે આ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરીને દુર્મુખ બેલ્યો “શાબાશ! કુમાર શાબાશ! તમારે જૈનધર્મ ઉપર પ્રેમ તે ખરેખર છે એમાં શક નહિ! તમારી ધર્મની બાબતમાં સ્થીરતા વખાણવા લાયક છે. તમારા મનમાં ધર્મપર પ્રેમ અને સ્થીરતા કેવાં છે, કેટલાં છે, તેની પરીક્ષા કરવા માટે જ આ સર્વ વાત મેં ઉઠાવી હતી. અત્યારે મારા મનમાં બરાબર ખાતરી થઈ છે કે સ્થીરતાની બાબતમાં તમારું મન મેરૂ પર્વતને પણ હઠાવી દે તેવું છે; તે હવે મારી વિજ્ઞપ્તિ એટલી જ છે કે મેં જે વચનો આપને. (કુમારને) સંભળાવ્યાં છે તે આપે મનપર લેવાં નહિ અને બીજા અર્થમાં સમજવાં નહિ.” મેં પણ તે જ સુકે જવાબ આપ્યો “આર્ય! એમાં તે શું કહેવું ! તમારે માટે બીજું ધારવાનું અશક્ય જ છે.” આટલી વાતચીત કરીને દુર્મુખ મારી પાસેથી બહાર ગયે. દુર્મુખના ગયા પછી મેં મારા મનમાં વિચાર કર્યો કે-દુર્મુખ લુએ છે અને પાપી છે, માટે એના આચરણમાં અને બોલવામાં ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy