SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૩ દાન દેવામાં વધારે પ્રમોદ (હ) લાવીને પ્રવૃત્તિ કરવા લાગે. જેઓ નવા નવા જૈન ધમૅમાં આવ્યા તેમની ભાવના પૂર્વક મેં વિશેષ પ્રકારે પૂજા (સેવા) કરવા માંડી. મને ધર્મમાં વિશેષ તત્પર જોઈને લોકે પણ ધર્મતત્પર વધારે વધારે થવા લાગ્યા. કહેવત છે કે “યથા રાજા તથા પ્રજા” જેવા રાજા હોય છે તેવી રૈયત થાય છે-થતી જાય છે, ખટપટીની જાળ; ખળભુજંગને કમ; રાજાના કાનમાં ઝેર, કનકશખર નંદિવર્ધનને પિતાની વાત આગળ ચલાવતાં કહે છે કે આવી રીતે કુમારને (મને) જૈન શાસન ઉપર અત્યંત રાગવાળે જેને અમારે દુર્મુખ નામનો કારભારી-અમાત્ય હતો તે કુમાર (મારી) ઉપર ઘણે ઠેષ કરવા લાગ્યો. એ અત્યંત અહિત કરનાર દુરાત્મા જે ઘળે ૫ અને લુચ્ચો હતો તેણે પિતાજી કનકચૂડને એકાંતમાં એક વખત કહ્યું “સાહેબ! અમે તો આપના થકી છીએ.” આ પ્રમાણે રાજા સાથે પિતાને એકીભાવ બતાવી તેણે પોતાના હૃદયની વાત કહેવા માંડી “સાહેબ ! આવી રીતે રાજ્યને નભાવવું ઘણું મુશ્કેલ થઈ પડશે એમ જણાય છે; કારણ કે કુમાર સાહેબે તે પ્રજાલકને તદ્દન ઉદ્ધત બનાવી દીધેલા છે. લોકોને માથે જ્યાં સુધી કરી આપવાની બીક હોય છે ત્યાં સુધી તેઓ હદને એલંઘી જતા નથી, પણ જ્યારે એકવાર કર આજવાની બીકથી તેઓને મુક્ત કરવામાં આવે છે ત્યારે તેઓ તદન છુટા થઈ જાય છે અને છુટો માણસ સર્વ અન ને કરે છે. જેવી રીતે અંકુશ વગરનો હાથી આડે અવળે રસ્તે ચાલો જતો હોય તે દંડના ભયથી ઠેકાણે આવે છે તેવી રીતે અંકુશ વગરના ખોટે રસ્તે જનારા લોકો દંડના ભયથી ઠેકાણે આવે છે. જ્યારે લેકે પોતાની મરજીમાં આવે તેમ આડાઅવળા વર્તે છે અને આર્ય પુરૂષોને યોગ્ય ન હોય તેવાં કામ કરે છે ત્યારે રાજાના પ્રતાપની હાનિ થાય છે અને તે તેને ઘણું હલકું લગાડનાર થઇ પડે છે. વળી એક બીજી પણ વાત કહું તે સાંભળે: હાલ જે ઘણું લેકે જૈન ૧ સેવાધર્સ. નવીન ધર્મ સ્વીકારનારને ખાસ સગવડ કરી આપવાની જરૂર છે જેથી નવીન આવનાર ધર્મમાં સ્થીર થઈ જાય. Missionary Spirit જૈનમાં કેટલો હતો તે અત્યારે ઘટતી વરતીના વખતમાં ખાસ વિચારવા જેવું છે. ૨ અંકુશઃ લેબ છે. (૧) હાથી પક્ષે-“આંકડી; (૨) મનુષ્ય પક્ષે-દબાણ.” ૩ દંડ લેષ છે. (૩) હાથી પક્ષે-અંકુશ-આંકડી (ર) મનુષ્ય પક્ષે-સા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy