SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯] ખટપટી દુર્મુખ અને કનકશેખર ૫૫૭ સરીને જ કામ લેનારે હતો, કદિપણ ઉતાવળ થઈ જ નહોતો. રાજ્યનિયમને અનુસરીને મેં એક દિવસ મારા પિતાને નમીને કહ્યું “પિતાજી! જૈનધર્મને અનુસરનારાઓનું બની શકે તેટલું વાત્સલ્ય કરવાની હું ઈચછા રાખું છું તે તેમ કરવા માટે આપ મને રજા આપશે.” મારી સાથે પિતાજી પણ જૈનશાસન તરફ ભદ્રકભાવે ધારણ કરનારા થયા હતા તેથી તેમને મારી એ પ્રાર્થના પસંદ આવી. તેઓએ જવાબમાં કહ્યું “વત્સ! આ રાજ્ય તારું છે, મારું જીવન પણ તને લઈને જ છે, તેથી તેને ઈચ્છા થઈ હોય તે ખુશીથી કર, એમાં તારે મને પૂછવાની જરૂર નથી.” પિતાશ્રીનો આવો અનુકુળ જવાબ સાંભળીને મને ઘણેજ આનંદ થયો અને હું તેઓશ્રીને પગે પડ્યો અને ઘણુ કૃપા કરી” એમ બોલતો મનમાં રાજી થવા લાગ્યા. ત્યાર પછી નવકાર મંત્રના ધારણું કરનાર મારા આખા દેશમાં ગમે તે હોય, પછી તે અંત્યજ હોય કે બીજે ગમે તે હોય તે મારે ભાઈ છે એમ હું માનવા લાગ્યો અને તેમના તરફ ઘણું પ્રેમથી જોવા લાગ્યો, તેમને જોઈએ તેટલું ખાનપાન આપીને, વસ્ત્રો આપીને, આભૂષણો આપીને, જવાહર આપીને અને દ્રવ્ય આપીને તેઓને રાજી રાખવા લાગે. વળી તે ઉપરાંત એ આખા દેશમાં ડાંડી ટપાવી કે “જે કોઈ જૈનધર્મ પાળનાર હશે તેની પાસેથી કઈ પણ પ્રકારને કર લેવામાં આવશે નહિ, તેમને માથેથી કરીને જોજો માફ કરવામાં આવ્યો છે.” વળી મેં ઉદ્ઘેષણ કરાવી તેમાં વિશેષ એમ પણ જણાવ્યું કે “સાધુઓ મારા પરમાત્મા છે, સાધ્વીઓ મારી પરમ દેવીઓ છે, શ્રાવકે મારા ગુરૂ છે.”—આવી રીતે મેં સ્પષ્ટપણે સર્વ હકીકત જાહેર કરી. ત્યાર પછી તીર્થકર મહારાજના શાસન તરફ જે કઈ ભક્તિભાવ બતાવે તેના તરફ આનંદજળથી ભરેલી આંખોએ જોઈ તેસાધમી મની બહુ બહુ પ્રકારે હું સ્તુતિ કરવા લાગ્યું. તે પ્રેમ. વખત પછી જૈન ધર્મ પાળનારા સજજન પુરૂષો યાત્રા કરવામાં, સ્નાત્ર મહોત્સવ કરવામાં તથા મોટા ૧ ભદ્રકભાવઃ તે ધર્મ સારે છે એવી ભળી ભાવના. ૨ અંત્યજ શુદ્ર-હલકા વર્ગને મનુષ્ય. આટલા ઉપરથી એમ ધારી શકાય છે કે નમસ્કાર મંત્રને ધારણ કરનાર ગમે તે જૈન હોય તેના તરફ બંધુભાવ રાખવાનો છે. આ વાત ખાસ વિચારવા જેવી છે. મૂળ ગ્રંથમાંજ અંત્યજ શબ્દ વાપરે છે. * ૩ ખાનપાના સાધમીવાત્સલ્યમાં જમણને નિષેધ નથી જણાતો, પણ માત્ર જમણવારને સાધવાત્સલ્ય ગણવામાં આવતું ન હતું. વળી જરૂર હોય ત્યાં ખાનપાન અપ-આ સર્વ પ્રકાર ખાસ લક્ષ્યમાં રાખવા જેવા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy