SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ સારપર વિચારણા ગુરૂ મહારાજનો આ જવાબ સાંભળીને (કનકશેખર કુમાર કહે છે કે, મેં મારા મનમાં વિચાર કર્યો કે મારા જેવો પ્રાણી સર્વ પ્રકારના આરંભ સમારંભમાં પ્રવૃત્તિ કરી રહેલ છે તેને પ્રાણીની સર્વથા હિંસા ન કરવી એ તો ઘણું મુશ્કેલ કામ છે, લગભગ અશક્ય જેવું છે. ત્યાર પછી ગુરૂ મહારાજે ધ્યાનગ માટે ભલામણ કરી, પણ મારી જેવા છે તે વિષયની લાલસામાં મુંઝાઈ રહેલા હોય છે અને ધ્યાનયોગ તો સ્થિર મન હોય તોજ સાધી શકાય તેવો છે તેથી મારા જેવા માટે તો તે પણ દૂરથી દૂર-વધારે દૂર જાય છે. ત્યાર પછી ગુરૂમહારાજે રાગ વિગેરે શત્રુઓનો નિગ્રહ કરવાની વાત કરી પણ એ તે જે પ્રાણીઓ તત્ત્વપરાયણ હોય અને જરા પણ પ્રમાદ, કરનારા ન હોય તેથી જ સાધી શકાય છે, મારા જેવાથી રાગાદિ ઉપર વિજય મેળવવાનું પણ બની શકે તેમ મને લાગતું નથી. ત્યાર પછી સ્વધમી (સાધર્મ ) બંધુઓ પર પ્રીતિ રાખવી–પ્રેમ રાખવો અને તેઓનું વાત્સલ્ય કરવું એ છેલ્લી સૂચના મહાત્મા ગુરૂમહારાજે કરી તે કદાચ મારા જેવાથી બની શકે તેવું મને લાગ્યું. તેથી હવે મારે એ બાબતમાં મારી શક્તિ હોય તેટલા પ્રયત્ન જરૂર વિચારણા કરે એમ મેં નિરધાર કર્યો; કારણ કે પ્રાણું - પરિણામ. તાનું હિત ઇચ્છતો હોય તેણે સારભૂત બાબત સમજીને તેનું અનુષ્ઠાન કરવું જોઇએ, આ નિશ્ચય કરીને તેમજ ગુરૂ મહારાજને વારંવાર વંદન કરીને મારા સંગને વધારી દેતે હું રાજમંદિરમાં આવ્યું. 'સાધમવાત્સલ્ય (કનકશેખરકૃત). મારા પિતાશ્રીને હું એકને એક પુત્ર હોવાથી પિતાના જીવ કરતાં પણ મને તે વધારે ચાહતા હતા. મારા પિતાની મારા ઉપર ઘણી કૃપા હોવાને લીધે મારી જે ઈચ્છા થાય તે પૂરી પાડવાને તે શક્તિવાન હતા, છતાં પણ હું તે રાજ્યનીતિને અને વિનયને અનુ ૧ સાધમવાત્સલયઃ કોમના આગેવાન ધમષ્ટ ભાવીભદ્રોએ આ વિભાગ બરાબર વિચારવા યોગ્ય છે. ખરું સાધવાત્સલ્ય કયાં છે તે સમજનાર અને બતાવનાર બહુ અલ્પ હોય છે તેથી આવા ગ્રંથમાંથી તે સમજવું વિશેષ યોગ્ય થશે. યાદ રાખવું કે આ ધર્મને સાર છે, અત્યારે ઘણું ફાંફાં મારવામાં આવે છે, પણું રહસ્યને પકડવામાં ખેંચતાણ થાય છે. ઉપકારી પૂર્વપુરૂ સાચી વાત લખી ગયા છે તે સમજવી જરૂરી છે. મે. ગિ, કા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy