SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯ ] ખટપટી દુર્મુખ અને કનકશેખર. ૫૫૫ દેખાતા હતા. તેમને જોઇને કુદરતી રીતે મને તેમના ઉપર ભક્તિ ઉત્પન્ન થઇ, એટલે હું તેમની નજીક ગયા, તેમને મેં વંદન કર્યું અને પછી જીવજંતુ વગરની શુદ્ધ જમીન જોઇને હું તેની ઉપર બેઠો. મારા મિત્રો મારી સાથે રમત કરવા આવ્યા હતા તે પણ મુનિમહારાજને નમસ્કાર કરીને મારી બાજુમાં વિનય પૂર્વક મસ્તક નમાવીને બેઠા. એ સાધુ મહારાજનું નામ દત્ત હતું. તેઓએ પેાતાનું ધ્યાન પૂરૂં કરીને અમને સર્વને ધર્મલાભના આશીર્વાદ આપ્યા અને બધાની સાથે ચેોગ્ય સંભાષણ કર્યું. તેઓનાં મધુર વચનપર પ્રીતિ ઉત્પન્ન થવાથી મેં નમ્રપણે તેઓશ્રીને કહ્યું ‘ભગવન્ ! તમારા દર્શનમાં ધર્મ કેવા પ્રકારના ખતાન્યેા છે?' આવા મારે પ્રશ્ન સાંભળીને અત્યંત સુંદર સ્વરથી મારા અને સર્વના મનને આનંદ પમાડતાં તે મુનિમહારાજે જિનેશ્વર ભગવાનના ધમૅ કાંઇક વિગત સાથે અમને સર્વને કહી સંભળાવ્યા. એમાં પણ તેએશ્રીએ પ્રથમ સાધુધર્મના ઉપદેશ આપ્યા અને ત્યાર પછી વિસ્તાર પૂર્વક શ્રાવકધર્મપર વિવેચન કર્યું. તેમણે કહ્યું કે શ્રાવકના ધર્મે કલ્પવૃક્ષ જેવા છે, સમ્યગ્દર્શન એ કલ્પવૃક્ષનું મૂળ છે, આર વ્રત રૂપ એ વૃક્ષને ડાળીએછે, શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિસ્ય અને અનુકંપા એ વૃક્ષની નાની શાખાઓ છે, મેાક્ષ એ વૃક્ષનું ફળ છે–વિગેરે’ તે સાંભળીને એવા પ્રકારના ગૃહસ્થધર્મ મેં અને મારા મિત્રોએ તરતજ ગ્રહણ કર્યો. પછી મુનિમહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. હું પણ ઘરે આવીને ગૃહસ્થધર્મનું પ્રતિપાલન કરવા લાગ્યા. અતિ ઉપયાગી પ્રશ્ન, તે દત્ત મુનિમહારાજ જેમણે મને ગૃહસ્થધર્સ આપ્યા હતા તે થોડા વખત પછી ફરતા ફરતા પાછા અમારા નગરની નજી કમાં આવ્યા. ધર્મ મેળવવાની તીવ્ર ઇચ્છાથી અને અન્ય અન્ય શ્રાવકાની સેામતથી હું જરા ધર્મની મામતમાં પ્રવીણ થઇ ગયા હતા. હું તુરતજ નગરની બહાર ઉદ્યાનમાં તેમની પાસે ગયા, તે મુનિમહારાજને વંદન કર્યું અને પછી ગુરૂમહારાજને પૂછ્યું કે · સાહેબ! જૈન શાસનના સાર શે છે-તેનું ખરેખરૂં રહસ્ય શું છે તે મને સમજવેા’ જૈન ધર્મના સાર. “ ગુરૂ મહારાજે ઉત્તરમાં કહ્યું—“ (૧) અહંસા (૨) ધ્યાનયોગ (૩) રાગ વિગેરે દુશ્મનાપર અંકુશ અને (૪) સાધમી બંધુઓન ፡፡ પર પ્રેમ એ જૈન આગમના સાર છે.” ૧ સમ્યગ્દર્શનઃ શુદ્ધ દેવ ગુરૂ ધર્મપર અવિસ્ખલીત શ્રદ્ધા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy