SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯ મું. ખટપટી દુર્મુખ અને કનકશેખર. 6 . . : T 'ન્ડિઝ iNit ” | નકશેખર આનંદથી સ્થળ નગરમાં મારી સાથે રહેતો હતો. તે વિશેષ સ્વસ્થ થયા પછી એક દિવસ અમે બન્ને એકલા બેઠા હતા તે વખતે મેં કનકશેખરને 1 પૂછયું—“માર સાંભળવામાં એમ આવ્યું છે કે તારા જે પિતાએ તારું અપમાન કર્યું તેથી અપમાનને લઈને તારે અહીં આવવું પડ્યું છે, તે તારા પિતાએ તારું કેવું અને શા સારું અપમાન કર્યું તે હકીકત સાંભળવાની મારી ઇચ્છા છે.” કનકશેખરે કહ્યું “સાંભળ કનકશેખરની પૂર્વ વાર્તા શમાવહ ઉદ્યાનમાં દત્તમુનિ, શ્રાવકધર્મકથન અને આદર, મારા પિતા કચૂડ અને મારી માતા ચૂતમંજરી મને અનેક પ્રકારના લાલન પાલન કરીને લાડ લડાવતા હતા, અને કુમાર અવસ્થાને લાભ લેતો હું નિર્દોષપણે કુશાવર્તનગરમાં આનંદ કરતો હતો. એક દિવસ મારા મિત્રો સાથે રમત કરતા કરતે હું શમાવહ નામના બગીચામાં પહોંચી ગયા. ત્યાં સાધુઓને બેસવા યોગ્ય જગાએ રક્ત અશક વૃક્ષની નીચે એક અત્યંત શાંત મહાત્મા–મહા ભાગ્યવાનું મુનિમહાશયને મેં જોયા. તેઓ ક્ષીર સમુદ્રની જેવા અત્યંત ગંભીર દેખાતા હતા, મેરૂ પર્વતની જેવા સ્થિર દેખાતા હતા, સૂર્યની જેવા મહા તેજસ્વી દેખાતા હતા અને શુદ્ધ સ્ફટિક રનની જેવા મેલ વગરના ૧ અપમાનઃ અહીં અસલમાં અભિમાન શબ્દ છે તેને ભાવ ગર્વ થાય; રીસાઈને અપમાનને અંગે રાજ્યવારસે મોસાળ કે ફઈને ત્યાં જવાનું ઘણું દાખલા બને છે અને બનેલા સાંભળ્યા છે તેને અનુસારે આ વાત સંભવે છે. ૨ શમાવહઃ શમ એટલે શાંતિ-તેને લાવનાર. નિજવિલસિત ઉદ્યાનમાં અનુભવ થયો હતે-આ તે શમ-પ્રશમને લાવનાર બગીચે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy