SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ પર ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ હોય અને કામદેવના હથિયાર રૂપ થયેલા કલ્પવૃક્ષમાંથી જાણે 'કુલાના સમૂહ બહાર પડેલા હેાય તેવું, કમળના વનમાં સુંદર લાલ રંગવાળા જાણે સૂર્યના ઉદય થયા હોય તેવું દેખાતું, અને મારના વિવિધ પ્રકારના નાચ અને વિલાસના સમૂહ હોય તેવું યૌવન મને પ્રાપ્ત થયું, મારી યુવાવસ્થાના તે વખતે આરંભ થયો; મારૂં શરીર તેથી ઘણું સુંદર અને આકર્ષક થયું, મારી છાતીનેા ભાગ વધારે પહેાળા થયા, સાથળે બન્ને ભરાઇ ગયા, કેડના ભાગ પાતળા થવા લાગ્યા, નિતંત્રના ભાગ વધારે સ્થૂળ થવા લાગ્યા, જાણે મારે પોતાના પ્રતાપ હાય તેમ શરીરપર રોમ-માલની પંક્તિઓ ફુટી નીકળી, આંખામાં નિમૅળપણું આવ્યું, બન્ને હાથેા વધારે દીર્ઘ થયા અને એ જુવાનીના જોરથી કામદેવે પણુ આવીને મારા અંતઃકરણમાં નિવાસ કર્યો. હું મારા જૂદા રાજજીવનમાંથી બહાર નીકળીને દરરોજ સવારે અપેારે અને સાંજે વડીલેાને વંદન કરવા રાજકુળમાં જતા હતા. એવી રીતે એક દિવસ હું મારા માતાપિતા પાસે સવારમાં ગયા અને તેમને બન્નેને પગે પડી નમસ્કાર કર્યાં. તેઓએ મને આશીર્વાદ આપ્યા. તેમની પાસે હું થોડો વખત બેઠો. ત્યાર પછી તેની રજા લઈ હું મારા રાજભુવનમાં આવ્યા અને મારા સિંહાસન ઉપર બેડો. કનકરશેખરનું જયસ્થળ નગરે આગમન. તે વખતે રાજકુળમાંથી એકાએક મોટા અવાજ ઉઠ્યો. એ કેટળાહળ શેના હતા તેની મને ખબર ન હેાવાથી એવા અકાળે થયેલા કાળાહળ માટે મારા મનમાં કાંઇક વિચારી થવા માંડ્યો અને તે કેળાહળ તરફ જવાની હું ઇચ્છા કરવા ગયા, તેવામાં તો ધવળ નામને બળવાન સેનાપતિ રાજકુળમાંથી નીકળી મારી તરફ આવતા દેખાયા, તે મારી નજીક આવ્યા અને મને નમસ્કાર કરીને કહેવા લાગ્યા— “ કુમાર ! દેવ (પદ્મરાજા ) આપને આ પ્રમાણે સંદેશા કહેવરાવે છે તે સાંભળેઃ ‘તું જેવા આજ સવારે (હમણાં) અમારી પાસેથી નીકળીને મહાર ગયા તેવા જ એક દૂત અમારી પાસે આન્યા અને ૧ કુલઃ શ્લેષ છે. (૧) કલ્પવૃક્ષ પક્ષે-પુષ્પ અને (૨) યૌવન પક્ષેનાજુકતાનું રૂપક. પિતાના સંદેશ. ૨ રંગ, શ્લેષ છે. જુએ નેટ નં. ૩ અગાઉના પૃષ્ટમાં. ૩ ચૌવનઃ જીવાની, યુવાવસ્થા, સદુપયોગ થાય તેા તેનું નામ જોખન' કહેવાય છે; દુરૂપયાગ થાય તે તેનું નામ ગદ્ધાપચ્ચીશી' કહેવાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy