SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] નિપુણ્યક ભિખારી. ૧૭ કે તેના જેરથી તે મુંઝાઈ ગયું હોય એમ લાગતું હતું. તેને ઠંડીની, ગરમીની, ડાંસની, મચ્છરની, ભુખની, તરસની-એમ અનેક પીડાઓ થતી હતી અને તેથી હેરાન થતા, દુઃખ પામતે, ત્રાસ પામતે નારકીના જીવોના જેવી વેદનાએ તે સહન કરતો હતો. એ નિપુણ્યક દરિદ્રીને જોઈને સજજન પુરુષોને મોટી દયા આવે તેવું હતું, અભિમાની પુરુષોને તે મશ્કરી કરવાનું સ્થાન થઈ પડયો હતો, બાળકને તે રમત કરવાનું રમકડું થઈ પડ્યું હતું અને પાપ કરનારાઓને એક દાખલે પૂરો પાડે તેવો થઈ ગયે હતે. આ અષ્ટમૂલપર્યન્ત નગરમાં બીજા પણ ઘણું દરિદ્રીઓ વસતા હતા, પણ એ નિપુણ્યક એટલે દુ:ખી હતો કે તેના જેવો નિર્ભાગી બહુધા તે આખા શહેરમાં બીજો કઈ નહિ હોય એમ લાગતું હતું. તે નિપુણ્યક મનમાં અનેક સંકલ્પ વિકલ્પ કર્યા કરતો હતો, રૌદ્રધ્યાન થતો હતો અને વારંવાર વિચારતો હતો ભિખારીનાં કે “મને આ ઘરમાંથી ભિખ મળશે, ત્યાંથી મળશે હવાતી. એવી રીતે આખો વખત દુર્ધાન કર્યા કરતો હતો. એ પ્રમાણે કરવા છતાં તેને કાંઈ પણ મળતું નહિ, માત્ર પરિતાપજ પામતો હતો. કેઈ જગેએ માગતાં ભિખતાં જરા એહું જુઠું અન્ન મળી જાય તે જાણે પોતાને રાજ્ય મળી ગયું હોય એમ માની તે મનમાં રાજી રાજી થઈ જતો હતો. અનેક પ્રકારે અપમાન કરીને આપેલ એ હું જુઠું અન્ન જે જથામાં બહુજ થતું હતું તે ખાતાં જાણે કઈ બળવાનું મારું આ અન્ન લઈ જશે એમ શ. કથી પણ વધારે ભયમાં રહ્યા કરતો હતો. વળી તે બાપડાને એવા ભજનથી કેઈ દિવસ તૃપ્તિ થતી નહોતી અને ઉલટી તેની ભુખ વધારે વધારે જોર પકડતી જતી હતી. તે અન્ન પચતાં પચતાં વળી તેના ૧ અહીં જે પેરેગ્રાફ પાડવામાં આવ્યા છે તે ઉપનય સાથે સંબંધ ધરાવે છે, તેથી પારાઓમાં અવ્યવસ્થા હાલ જણાય તો તેને ખુલાસો આગળ ઉપનય વાંચવાથી સ્પષ્ટ થઈ જશે. બીજા પ્રસ્તાવથી તે બરાબર નિયમસર પેરેગ્રાફ અને પ્રકરણ પાડવામાં આવ્યાં છે. ૨ ક્રર આશયથી ઉત્પન્ન થનાર દુષ્યનને રૌદ્રધ્યાન કહેવામાં આવે છે. એનાથી હિંસાના, અસત્ય બલવાના, ચોરી કરવાના અને વસ્તુ રક્ષણના નકામા વિચારો થયા કરે છે. ૩ ઇંદ્ર. ઇદ્રને તેનું ઇદ્રાસન કોઈ વિશેષ તપ કરીને લઇ જશે એવી બીક બહુ રહે છે. આ દરિદ્રીને પણ શક જેટલેજ અથવા તેથી વધારે ભય રહે છે એમ કહેવાનો આશય જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy