SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ નેત્ર પાછાં હડી શકતાં નથી-આ પ્રમાણે હાવાથી એને વિરહ એક ક્ષણવાર પણ સહન કરવાની મારામાં શક્તિ નથી. એને આવી રીતે છેડી શકાય તેમ નથી અને જે પ્રમાણે તે ચારિત્ર લેવા તૈયાર થઇ ગયા છે તે પ્રમાણે ચારિત્ર ગ્રહણ કરવાને અમને અત્યારે પરિણામ થતા નથી; માટે તેની પાસે તું પ્રેમથી માગણી કર, ઉત્તમ શબ્દ (સંગીત) વિગેરે વિશિષ્ટ ભાગેાનું સ્વરૂપ તેની પાસે રજી કર, તેને એમ જણાવી દે કે એ શબ્દ વિગેરે ભાગોના હવે તેજ ખરેખરા સ્વામી છે. તેને વજ ( હીરા ), ઇંદ્રનીલ ( પન્નુ ), મહાનીલ ( એક જાતના મણિ ), કર્યંતન (રત), પદ્મરાગ ( માણેક ), મરકત ( લીલેલા મણિ ), વૈર્ય (ર૧), ચંદ્રકાન્ત (મણિ), પુષ્પરાગ ( પોખરાજ ) વિગેરે અમૂલ્ય રત્નો આપણી પાસે છે તે બતાવ, દેવતાઓની અપ્સરાઓને પણ ભૂલાવે તેવી સુંદર રૂપવંત કન્યા તેને દેખાડે અને એવું એવું સર્વ તેના સંબંધમાં ગાઢવીને તેને સંસાર તરફ એવા પ્રકારના લાભ લગાડી દે કે જેથી તે કાંઇ પણ વધારે વિચાર ન કરતાં કેટલાક કાળ સંસારમાં રહી આપણી હોંસ પૂરી કરે.” વિષયાનુકૂળતા કરવાની સૂચના. સુબુદ્ધિ—“ જેવા મહારાજાના હુકમ! પણ આ બાબતમાં મારે આપ સાહેબને જરા પ્રાર્થના કરવાની છે તે યોગ્ય હોય કે અયોગ્ય હાય તે પણ તેને માટે આપે મને ક્ષમા આપવી પડશે.” શત્રુમર્દન——“તું તા હવે મને સારો અને સાચો ઉપદેશ આપનાર થયા છે, તેથી તને તે! મારા ઉપર મોટા અધિકાર પ્રાપ્ત થયો છે એમ કહી શકાય; કારણ કે તું મારા ગુરૂ થયા અને હું તારો શિષ્ય થયા. હવે તારે મારા સંબંધમાં કાંઇ પણ સંભ્રમ ( વિચાર-ઘુંચવણ ) કરવાના હોય જ નહિ. તારા મનમાં જે કાંઇ હેાય તે જરા પણ ગભરાયા વગર તું વગર વિલંબે કહે.” સુબુદ્ધિ—“ જો એમ છે તે સાંભળે. આપ સાહેબે પ્રથમ કહ્યું કે આપને મનીષી ઉપર ઘણા જ પ્રેમ આવે છે તે વાત તદ્દન યોગ્ય છે અને બનવા જોગ છે, કારણ કે મહાપુરૂષા હંમેશા ગુણવાન તરફ જરૂર પક્ષપાત રાખે છે, એવા પ્રકારના પક્ષપાત પાપના સમૂહને ઢળી નાખે છે, સારા આશયને વધારે પ્રકટ કરે છે, સજ્જનપણાને જન્મ આપે છે, આબરૂને વધારે છે, ધર્મને એકઠી કરે છે અને તેમ ( એવા પક્ષપાત) કરનારની માામાં જવાની ચેાગ્યતા છે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy