SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ ] નિજ વિલસિતઉદ્યાનપ્રભાવ. ૫૩૩ મતાથી આપે છે, ત્યાર પછી આપશ્રીએ કહ્યું કે કોઇ પણ રીતે તેને (મનીષીને) લાભમાં નાખીને કેટલાક વખત સંસારમાં રાખવા તે વાત મને ચેાગ્ય લાગતી નથી. એમ કરવાથી તેના ઉપર સુબુદ્ધિના જવાબ, તમે વાસ્તવિક સ્નેહ બતાવતા નથી; પણ તેના ક્રુદિક્ષાની મહત્તા. શ્મનની ગરજ સારો છે; કારણ કે આ સંસાર મહાભયંકર જંગલ-વન જેવા છે; તેમાંથી કેાઇ બહાર નીકળી જવાની ઇચ્છાથી આખા જગતનું હિત કરનાર જૈન મતમાં વિશેષ પ્રવૃત્તિ કરવા મનથી, વચનથી અને કાયાથી ઉદ્યમ કરતા હેાય તે તેને જે પ્રાણી વધારે ઉત્સાહ આપે તેજ સ્નેહ સંબંધથી પ્રેરાયલ તેના ખરેખરા બંધુ છે એમ સમજવું, અને ખાટા સ્નેહના માહથી જે પ્રાણી એવી રીતે સંસારમાંથી નીકળી જવાની ઇચ્છા કરનારને વારેઅટકાવે તે ખરેખરી રીતે તેનું અહિત કરનારા હેાવાથી પરમાર્થથી તે તેને શત્રુ છે-દુશ્મન છે એમ સમજવું, એ મનીષી પેાતાનું હિત કરવા તૈયાર થયા છે તેને તમારે વારવા નહિ, અટકાવવા નહિ. એ પ્રમાણે કરશે (અને નહિ અટકાવા ) તેા જ આપે ખરા સ્નેહ કર્યો ગણાશે. વળી એક બીજી પણ વાત આપને કહું: મનીષીને લેાભાવવા માટે તમે પાર્થિવ તેા શું પણ કદાચ મોટા દૈવી વિષયા લાવા અને તે સંબંધમાં હજારો પ્રયત્ન કરો તે પણ તેને ચળાવવા અશક્યજ છે. એના હેતુ એ છે કે એ મહાત્મા મનીષીને વિષયેા રૂપ વિષ (ઝેર )ના વિષમ (ભયંકર) વિપાકને સમજાવનાર ભગવાનના વચન ઉપર સારી રીતે નિર્માણત થયેલ વિશિષ્ટ આધ થઇ ગયેલા છે, તેના હૃદયસરોવરમાં સર્વ પ્રકારની પાપરૂપ કલુષતાને ધોઇ નાખનાર વિવેકરલ સ્ફુરાયમાન થયું છે, વસ્તુઓના યથાયોગ્ય સ્વરૂપને જણાવનાર સમ્યગ્દર્શન તેના મનમાં વધારે ઉલ્લાસ પામ્યું છે અને સર્વ દોષોથી મૂકાવે તેવા ચરણ (ચારિત્ર) ધર્મને ગ્રહણ કરવાના પરિણામ તેને થઇ ગયા છે. ભગવાનની કૃપાથી જ્યારે પ્રાણીમાં એવા મહાકલ્યાણ કરનાર ગુણસમૂહો જાગ્રત થાય છે ત્યારે પછી તેનું ચિત્ત વિષયમાં રમણ કરતું જ નથી, આખા સંસારા પ્રપંચ તન ત્યાગ કરવા યોગ્ય તેને લાગે છે, આખા જગતના ૧ દીક્ષા લેવા ઉક્ત થયેલાની સામે પડનારે આ વાત ખાસ વિચારવા યેાગ્ય છે. ૨ પાર્થિવઃ આ પૃથ્વી પરના-સાદા, ૩ તૈલી, દેવલાકના-અસાધારણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy