SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ ] નિજવિલસિતઉદ્યાન પ્રભાવ. ૫૨૯ એના આપણે પ્રત્યક્ષ દાખલા જોઈએ. બાળની સહકારી કારણે; સાથે સ્પર્શન મિત્ર અને અકુશળમાળા હતા તેથી તેના સર્વનજરૂરીઆત. જોવામાં જ્યારે મદનકંદળી આવી ત્યારે તે ઉદ્યાને તેના મનમાં મદનકંદની સાથે વિષયભોગ ભેગવવાના અને એને લગતા બીજા વિચારે ઉત્પન્ન કર્યા. અહીં સ્પર્શન અને અકુશળમાળાને સહયોગ અને મદનકંદળીનું દર્શન સહકારી કારણે સમજવાં. મનીષી, મધ્યમબુદ્ધિ અને આપના જેવા પુણ્યશાળી વિશિષ્ટ પુરૂષોને જ્યારે સૂરિ મહારાજના પાદપ્રણમનને અવસર મળે ત્યારે તેજ ક્ષેત્રે (ઉદ્યાને ) તમારા મનમાં સર્વવિરતિ દેશવિરતિ અંગીકાર કરવાની અને એવી બીજી ઉત્તમ ભાવનાઓ ઉત્પન્ન કરી. અહીં સૂરિપદપ્રણામ સહકારી કારણ સમજવું. જો કે કઈ પણ કાર્ય થવામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, સ્વભાવ, કર્મ, નિયતિ, પુરૂષકાર વિગેરે કારણે કેટલાંક પ્રકટપણે અને કેટલાંક અપ્રકટપણે સર્વ એક સાથે મળીને જ તે કાર્યને કારણુપણાને પામે છે અને તેઓમાંનું માત્ર એકજ કારણ સ્વતંત્ર રીતે કઇ દિવસ પણ કેઈ કાર્યનું કારણ થઈ શકતું નથી, સર્વ સાથે હોય ત્યારે એક કાર્યની નિષ્પત્તિ થાય છે, છતાં પણ એક કારણની ઉ. એકને અંગે વાત ચાલતી હોય અને તેની મુખ્યતા પચારથી મુખ્યતા. હોય તે સર્વમાંથી તેને એક મુખ્ય કારણ તરીકે કહી શકાય છે. ખરી રીતે તે સર્વ કારણે એકઠાં થાય ત્યારે જ કાર્ય થાય છે, પણ અમુક અમુક અપેક્ષાએ એક એકની મુખ્યતા દેખાઈ આવે છે. એ વખતે ઉદ્યાનના વિચિત્ર પ્રકારના ભાવો હૃદય પર વધારે અસર કરનાર હોવાથી ક્ષેત્રનું કારણ તરીકે મુખ્યપણે આપની પાસે નિવેદન કર્યું છે.” શત્રમર્દન–“મિત્ર! એ વાત તે તે બહુ સારી કરી. હવે એક બીજી વાત તને પૂછું ! આચાર્ય મહારાજની પાસે પેલા કર્મવિલાસ રાજા સંબંધી વાત નીકળી ત્યારે તે કહ્યું હતું કે તું તેનું બધું સ્વરૂપ સારી ૧ કારણે કોઈ પણ કાર્ય થવા માટે પાંચ કારણ એકઠાં મળવાં જોઈએ? કાળ પરિપકવ થ જોઈએ; વસ્તુનો તે સ્વભાવ જોઈએ; વસ્તુ તે પ્રકારે બનતી હોવી જોઈએ (નિયતિ) કર્મ તેવા પ્રકારનું હોવું જોઇએ અને તે માટેને ઉદ્યોગ હેવો જોઈએ. એ પાંચમાંથી એક પણ કારણુ મંદ હોય તે કોઈ કામ થઈ શકતું નથી. દ્રવ્ય અને ક્ષેત્રનો સમાવેશ સ્વભાવમાં થઈ જાય છે. મૂળ મુખ્ય કારણે પાંચ છે: કાળ, સ્વભાવ, નિયતિ (ભવિતવ્યતા), કર્મ અને ઉદ્યોગ. ૨ જુઓ પૃષ્ઠ ૫૧૧. ત્યાં સંક્ષેપમાં આચાર્યો કર્મવિલાસનું સ્વરૂપ કહ્યું હતું; પછી વધારે સ્વરૂપ જણાવવાનું સુબુદ્ધિ મંત્રીએ રાજાને વચન આપ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy