SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૩ કથને વિચારતાં એ પણ સમજાય તેમ છે કે પ્રાણીને શુભ અથવા અશુભ પરિણામો થાય છે તેમાં તેને 'દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવની અપેક્ષા રહે છે, એટલે પ્રાણીને જે જે વિચારો, અધ્યવસાય કે પરિણતિ થાય તેમાં એ પાંચે બાબત ઉપયોગી ભાગ ભજવે છે. બાળને તે વખતે જે અધ્યવસાય છે તે ક્ષેત્રને લઈને થયો હતે એમ મને લાગે છે.” શમન ક્ષેત્રના ઉપર તું આટલે બધો ભાર મૂક્ત હો તે એ જૈન મંદિર તે પવિત્રમાં પવિત્ર ક્ષેત્ર હતું ! અને એજ ક્ષેત્રમાં એ બનાવ બન્ય, તે આવું સુંદર ક્ષેત્ર બાળના સંબંધમાં એવા અશુભ પરિણુમ ઉત્પન્ન કરવાનું કારણ કેવી રીતે થઈ શકે ?” સુબુદ્ધિ-મહારાજ ! એમાં મંદિરનો દોષ નહોતો, પણ ઉ. ઘાન (ઉપવન ) નો દોષ હતો. દેવમંદિર પણ ઉધાનમાં આવી રહેલું છે, તેથી ઉઘાન સામાન્ય ક્ષેત્ર છે અને એ ઉદ્યાન બાળના અશુદ્ધ અધ્યવસાયનું કારણ છે.” - શત્રમર્દન–“જે એ ઉદ્યાન ખરાબ અધ્યવસાયનું કારણ હોય તો અમે પણ તેજ ઉદ્યાનમાં હતા તે અમને તે ખરાબ અધ્યવસાયનું કારણ કેમ ન થયું ?” સુબુદ્ધિ–“એ ઉદ્યાન ઘણું વિચિત્ર સ્વભાવવાળું છે અને જુદા જુદા માણસોને અંગે તે અનેક પ્રકારનાં પરિણમે નિપજાવનારૂં-કામે કરાવનારું થઈ શકે છે. એ પ્રમાણે હોવાથી તેનું નામ નિજવિલસિત પાડવામાં આવ્યું છે. તે જુદા જુદા પ્રકારનાં “સહકારી કારણને લઈને ભિન્નભિન્ન પ્રાણીમાં જુદી જુદી પ્રકારનાં “વિલસિત પ્રકટ કરે છે. ૧ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ દ્રવ્ય એટલે વસ્તુ પોતે, ક્ષેત્ર એટલે સ્થાન, કાળ એટલે સમય, ભાવ એટલે સંયોગો અને ભવ એટલે એક જન્મ અને મરણ વચ્ચેનો સમય (તેના સંયોગો સાથે એટલે ગતિ અને ત્યાં તોગ્ય નામકર્મો વિગેરે) ૨ Common ground. ૩ એ ઉદ્યાનનું નામ નિજવિલસિત છે. દરેક પ્રાણીને વિલાસ જુદા પ્રકાર હોય છે તેથી આવિર્ભાવ પણ પ્રથ૬ પ્રથ૬ થાય છે. આજુબાજુની વ. સ્તુઓ વિલાસ અને વિકાસપણે પરિણમી જાય છે અને તેને સહકારી કારણ ગણવામાં આવે છે. ૪ તેના વર્ણન માટે જુઓ પૃષ્ઠ ૪૬૩, ૫ સહકારી સાથેના, મદદ કરનાર, ૬ વિલસિત લીલા, ગમ્મત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy