SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ પછી પ્રથમ રાજકચેરીમાં જઇ થોડો વખત એસી થાક ઉતારી કુમારે સર્વને આનંદ આપ્યા. મનમાં જરા પણ અભિમાન લાગ્યા વગર જો કે પેાતાને કોઇ પણ પ્રકારનેા રાગ નહાતા તે પણ રાજાને સંતેષ આપવાના હેતુથી રાજસભામાંથી ઉઠીને મનીષી મજ્જનશાળા (સ્નાન ગૃહ)માં ગયા. સ્નાનગૃહમાં રાણી મદનકંદળીએ અત્યંત ગૌરવપૂર્વક જાણે કે તે પાતાના અતિ વહાલા ભાઇ હાય અથવા દીકરો હાય તેમ તેના શરીરને ચાળીને સ્નાન કરાવ્યું. વળી અંતઃપુરની ખીજી રાણીઓ તેમજ દાસીએ જે સ્નાન સંબંધી સર્વ કાર્યમાં ઘણી પ્રવીણ હતી તેઓ મીઠા મધુર અવાજ કરતી તેની ચાતરફ વીંટાઈ વળી. હીરા પાના રન અને માણેકની કાંતિથી શોભી રહેલી સુંદર વાવડીના નિર્મળ પાણીમાં મનીષીએ ત્યાર પછી સ્નાન કર્યું. પર૦ પછી સર્પની કાંચળી જેવાં ઝીણાં અને તદ્દન સફેદ સુંદર વસ્ત્રો શરીરપર ધારણ કરીને મનીષી મનેાહર દેવભુવનમાં ગયા. એ દેવમંદિરમાં સુબુદ્ધિ મંત્રીએ ચિત્તને અત્યંત આનંદ આપે તેવી રચના કરાવેલી હતી. મનીષી ઘણા વખતથી માર્ગપર તે આવી ગયેલ હતા, તેના હૃદયમાં જિનપરમાત્માનું સ્વરૂપ આલેખાઇ ગયું હતું, છતાં તે દિવસે પ્રમાધનરતિ આચાર્યના ઉપદેશથી વીતરાગનું સ્વરૂપ વિશેષે કરીને તેને પ્રાપ્ત થયું હતું, વધારે સ્પષ્ટ થયું હતું તેથી તે દિવસે રાગ દ્વેષ અને મેહના ઝેરના નાશ કરનાર ભગવાનના દેહસ્થ અને પરબ્રહ્મ સ્વરૂપપર સ્થિર ચિત્તે તેણે વધારેને વધારે વિચાર કર્યો. જિનમંદિરમાં એવી રીતે દ્રવ્ય અને ભાવ પૂજન કરીને બહાર નીકળ્યા પછી માણસા ઓછા થતા ગયા. મનીષી કુમારને ત્યાર પછી ભાજન મંડપમાં લઇ જવામાં આવ્યા. ત્યાં પ્રથમથીજ સુંદર ભાજનની સર્વ સામગ્રી અને સાધના તૈયાર કરવામાં આવ્યાં હતાં. અનેક પ્રકારનાં મનને અને જીભને આનંદ આપે તેવા ખાવાના તથા પીવાના પદાર્થોને ગોઠવીને પીરસી રાખ્યા હતા. રાજા મનીષીને તે બતાવતા ગયા અને મનીષી રાજાને સારૂં લાગે તેટલા ખાતર પેાતાને ખપે તેવા આહારને તે વખતે વાપરવા લાગ્યા, પરંતુ તેમાં તેને રાગ તથા પ્રીતિ જરા પણુ હતી નહિ. પેાતાની તંદુરસ્તીને વધારે તેવા અને તેટલા આહાર લઇને મનીષી કુમાર ઊભા થયા. ત્યાર પછી રાજાના અત્યંત આગ્રહથી તેણે પાંચ સુગન્ધી વસ્તુઓથી મિશ્ર તંખેાળ લીધું. તેના શરીરપર ચંદનનું, કસ્તુરી ને કેશરનું વિલેપન કરવામાં આવ્યું, શરીરપર સુંદર અલંકારો અને ઊંચી જાતનાં વસ્ત્રો તેણે ધારણ કર્યાં, સુગંધીથી ભમરાઓને પણ પેાતાની તરફ ખેંચે તેવી સુગંધી પુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy