SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૯ પ્રકરણ ૧૫] શત્રુમદનાદિને આંતર પ્રદ. અને પિતાની વેગ શક્તિ વધારે બતાવવા લાગી. તે વખતે મનીષીના મનમાં અત્યંત આનંદ થયે. સાધારણ મનુષ્યને સંસારમાં કઈ પણ જગોએ મળવી તદ્દન અશક્ય એવી આત્મિક તેમજ બહિર્લક્ષ્મીને પ્રાપ્ત કરીને અને રાજાના સામતેથી તથા મંત્રીઓથી પરવારીને તે વખતે મનીષી વધારે શોભવા લાગ્યું. તે વખતે સુબુદ્ધિ મંત્રી તેની વધારે વધારે સ્તુતિ કરવા લાગ્યો. મધ્યમબુદ્ધિ પણ તે પ્રસંગે મનીષીની સાથેજ હતો. પછી હાથી ઉપર આરૂઢ થયેલ અને રાજાથી છત્ર કરાયેલ મનીષી એવી રીતે નગરના દરવાજા સુધી આવી પહોંચ્યો. નગરવાસી જનોએ આખા શહેરમાં મોટી દવાઓ બાંધી દીધી હતી, દુકાનેને અત્યંત સુંદર રીતે શણગારી હતી અને સર્વ મુખ્ય રસ્તાઓ પાણીનો છંટકાવ કરીને તથા કચરે દૂર કરીને સુંદર કરી દીધા હતા. એવી રીતે નગરને શણગારીને શહેરીઓ મનીષીને લેવા માટે અત્યંત હર્ષપૂર્વક સામા આવ્યા. તેઓએ અનેક પ્રકારે સ્તુતિ કરીને તેને (મનીષીને) નગરમાં પ્રવેશ કરાવ્યું. તેઓ સર્વ બેલવા લાગ્યા કે “આ મનીષી ખરેખર ધન્ય છે, નસીબદાર છે, ભાગ્યશાળી છે, મહાત્મા છે, મનુષ્યમાં અતિ ઉત્તમ છે; એને જન્મ ખરેખરે સફળ છે, એણે પૃથ્વીને પણ શોભાવી છે, દિપાવી છે અને એના જેવા મહાત્માના અમારા નગરમાં આવવાથી અમે પણ ખરેખરા નસીબદાર થયા છીએ, કારણકે નસીબ વગરના પ્રાણુઓ કદિ નપુંજના સંબંધમાં આવી શકતા નથી.” ત્યાર પછી પોતાના દેવ જેવા રૂપથી અનેક સ્ત્રીઓનાં નેત્રોને અત્યંત આનંદ આપતો અને વ્યાથી પ્રાણુઓને મોટું દાન આપતે તેમજ પિતાની સારી રીતભાતથી વિશુદ્ધ ધર્મમાં સ્થિત થયેલા મનુષ્ય તરફ વિશેષ પક્ષપાત દેખાડતે મનીષી કુમાર આખા નગરમાં ફર્યો. લેકનાં મોટા સમૂહની વચ્ચે થઈને અનુક્રમે તે રાજમંદિરમાં આવી પહોંચે. રાજમંદિરને પણ રલરાશિથી એવું સુંદર બનાવી દીધું હતું કે તેની છાયાથી (રતના તેજથી) જાણે આકાશમાં ઇંદ્રનું ધનુષ્ય બંધાઈ ગયું હોય નહિ! એવું સુંદર અને રંગબેરંગી તે દેખાતું હતું. રાજ મંદિરમાં પ્રવેશ કરતાં રાજપરિવારના અનેક માણસોએ તેમજ ખુદ શત્રમર્દન રાજાએ કુમારનું બહુ સન્માન કર્યું અને અનેક યુવાન રસીક લલનાઓએ પોતાની ચપળ આંખેથી તેને વધાવી લીધો. રાજમંદિરમાં તે વખતે ગીત અને નાચ એટલાં ચાલતાં હતાં કે જાણે તે મંદિર દેવતાઓનું સ્થાન કે ઇંદ્રભુવન હોય તેવું શુભતું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy