SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ-૩ તમે સાંભળોઃ આ સંસારમાં પિતાના સત્વને પ્રગટ કરવું એ વગર શકે પ્રાણીની મોટામાં મોટી સંપત્તિ છે, આત્મિક મિલ્કત છે અને તે પ્રમાણે સર્વજ્ઞ મહારાજ વારંવાર કહી ગયા છે રાજાએ કરેલી. તેથી આ સંસારમાં અહીં જે પ્રાણીનું સરવ સગ્ય ઉદૂષણ. થી વધારે પ્રકાશે છે તે સર્વને રાજા થવાને અને સર્વોપર પોતાની પ્રભુતા સ્થાપન કરવાને વાસ્તવિક રીતે હકદાર થાય છે. આ પ્રમાણે હોવાથી ઘણું પ્રગતિ કરાવે તેવા ઉત્કર્ષને સાધનાર આ મહાત્મા મનીષીનું માહાસ્ય કેટલું છે તે તમે સર્વેએ સારી રીતે સ્પષ્ટપણે જોઈ લીધું છે. જુઓ, જ્યારે ભગવાને પેલા અપ્રમાદયંત્રની વાત કરી ત્યારે તે મારા જેવાને પણ બહુ આકરું પડશે અને જાળવવું ઘણું મુશ્કેલ પડશે એ વિચારથી ઘણે ત્રાસ થયો હતો તે તમારા સર્વના ધ્યાનમાં છે. એવું યંત્ર પિતાને આપવા માટે આ મહાત્માએ તુરત જ ભગવાન પાસે વિનતિ કરી એ સર્વ તમારા લક્ષ્યમાં હશે. તેટલા માટે એનામાં અસાધારણ સર્વ–આત્મીક વીયે-છે એમાં જરા પણ શંકા જેવું નથી. આપણું સર્વના આગ્રહથી જ્યાં સુધી તે ઘરમાં રહે, આપણી સાથે રહે, ત્યાંસુધી તે આપણે સ્વામી છે, તે આપણે દેવ છે, તે આપણે ગુરૂ છે, તે આપણે પિતા છે, એમ ધારીને એવા વડીલ તરીકે આપણે સર્વેએ તેની સાથે વર્તન કરવું. આપણે સર્વેએ તેની નોકરી સ્વીકારવી અને આપણે આત્માનાં પાપ છેવા પ્રયત્ન કરે. ઉત્તમનો–વિનય કરવાથી આત્માનાં પાપ જોવાઈ જાય છે માટે તેમ કરવું આપણને સર્વને યોગ્ય છે. રાજાના આવાં વચન સાંભળી અત્યંત પ્રમોદમાં આવી સર્વ સામંતો અને મોટા મંત્રીઓ બોલવા લાગ્યાં “આપ સાહેબ કહે છે તે તદ્દન છે અને આપ સરખા રાજા કહે તે કેને પસંદ ન આવે? આપનું વચન અમને સર્વને પ્રમાણ છે.” મનીષીના હદયમાં શુભ સુંદરી, મનીષીને નગર પ્રવેશ અને હર્ષ સભાસ્થાનપ્રવેશ, સ્નાન, પૂજન, ભજન, આ પ્રમાણે વાત ચાલતી હતી તે વખતે મનીષીના શરીરમાં યોગશક્તિ દ્વારા રહેલી તેની માતા શુભસુંદરી વધારે વિકાસ પામી ૧ પિતાનું સર્વ પ્રગટ કરવું એ સ્પષ્ટપણે શંકા વગર-વિરોધ વગર આ સંસારમાં મોટી સંપત્તિ છે. ૨ રાજા આ સર્વ સભ્યત્વ પ્રાપ્ત થવાના પ્રમોદથી બેલે છે તે હમણાજ પષ્ટ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy