SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ "અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતનું વર્ણન કર્યું, અને તેને લીધે તે વખતે આવરણ કર્મોને કાંઈક નાશ અને કાંઈક ઉપશમ થવાથી રાજાને પણ દેશવિરતિ ગ્રહણ કરવાના ભાવ થયા. તેના મનમાં એમ આવ્યું કે આ ગૃહસ્થ ધર્મ તો આપણું જેવાથી પણ થઈ શકે ખરે. પછી આ પ્રમાણે વિચાર કરીને શત્રમર્દન રાજા બોલ્યા, “ભગવાન ! આપે વર્ણન કર્યો તેવા પ્રકારને ગૃહસ્થ ધર્મ મને પણ આપીને મારા ઉપર અનુગ્રહ કરે.” આચાર્ય મહારાજે ઉત્તરમાં કહ્યું “રાજન ! તે ધર્મ તમને સારી રીતે આપું છું.” પછી આચાર્ય મહારાજે શત્રુમર્દન રાજાને અને માધ્યમબુદ્ધિને ગૃહસ્થ ધર્મ વિધિપૂર્વક આપ્યો. ૧ અણુવ્રત: પાંચ અણુવ્રત છે. સ્થૂળપણે જીવવધ ન કરવો, પાંચ મોટાં જાડાં ન બોલવા, સ્થૂળ શેરી ન કરવી, સ્વસ્ત્રીમાં સંતોષ રાખી પરસ્ત્રીને ત્યાગ કરવો અને પરિગ્રહનું પ્રમાણ કરવું-હદ બાંધવી-એ પાંચને “આવત’ કહેવામાં આવે છે. સાધુના પાંચ મહાવ્રત કરતાં એ ઓછાં છે, પણ પગથી જેવાં છે. જુદી જુદી દિશાઓમાં કેટલે દૂર જવું તેનું પ્રમાણ કરવું, (દિવ્રત) ખાવાની વસ્તુઓમાં ત્યાગભાવ કર, રાત્રીભેજન કરવું નહિ અને કર્માદાનના વ્યાપાર કરવા નહિ (ગોપગ વ્રત) અને રાજ કથા, સ્ત્રીકથા, નાટક, પ્રમાદાચારણ વિગેરે નકામાં પાપે સેવવાં નહિ (અનર્થદંડ)–એ ત્રણ ગુણવત કહેવાય છે. બે ઘડિ સ્થીર ચિત્તે બેસી જ્ઞાન મેળવવું કે ધ્યાન કરવું (સામાયિકવ્રત), અમુક વખતમાટે સર્વ વસ્તુ તથા દિશાઓને સંક્ષેપ કરવો (દેશાવગાસિકવ્રત), ચાર કે આઠ પહોર સાધુધર્મની ભાવના કરી સંસારથી દૂર રહેવું (પૌષધવ્રત) અને અતિથિ સાધુની યોગ્ય આદરપૂર્વક જરૂરીઆતો પૂરી પાડવી (અતિથિસંવિભાગવત)આ ચારને શિક્ષાવત કહેવામાં આવે છે. વિસ્તાર માટે જુઓ બારવ્રતની ટીપ. ૨ દેશવિરતિઃ થોડો ત્યાગ કરવાનો નિયમ પર તેને દેશવિરતિ કહે છે. સાધુ સર્વવિરતિ હોય છે, કારણ તેઓ બાહ્ય સંસર્ગને સર્વથા ત્યાગ કરવાને નિયમ (પરચખાણ) કરે છે. દેશવિરતિ અને સર્વવિરતિ વચ્ચે આ તફાવત બરાબર ધ્યાનમાં રાખવો. ૩ વિધિ ગૃહસ્થ ધર્મ આપવાની વિધિ કર્યો એટલે બારવ્રત ઉચરાવ્યા એમ સમજાય છે. ગૃહસ્થ ધર્મને વિષય કહાય છે, નિર્ણય થયા પછી તેને વિધિ પૂર્વક આદર થાય છે. ગુરૂસાક્ષીએ તે સર્વ થાય છે. તેને વિધિ ચરણ ગ્રંથોમાં બતાવવામાં આવેલ છે, જુઓ શ્રાદ્ધવિધિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy