SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫ મું. શગુમર્દનાદિને આંતર પ્રદ. . આ ચાર્ય મહારાજ પ્રબંધનરતિ મનીષીને દીક્ષા દેવ, કઈ તૈયાર થયા તે વખતે શત્રુમર્દન રાજાએ આચાર્યના થી પગમાં પડીને વિજ્ઞપ્તિ કરી “ભગવાન ! આ મB7 ) B નીષીએ ભાવથી તે ભગવાનના મતની દીક્ષા લઇ કિરી જ લીધી છે તેથી તે ખરેખર કૃતકૃત્ય થઈ ગયેલ છે. એ મનીષીને ઉદ્દેશીને અમારો સંતેષ જાહેર કરવાને માટે અમે કાંઈક જાહેર દેખાવ કરવાની (અર્થાત તેને દીક્ષા મહોત્સવ કરવાની) ઈચ્છા રાખીએ છીએ તે તેમ કરવાની આપ અમને આજ્ઞા આપે!” દ્રવ્યસ્તવ અને ગુરૂઓ, - શત્રમર્દન રાજાની આવી માગણી સાંભળીને આચાર્ય મહારાજ મૌન રહ્યા. તે વખતે સુબુદ્ધિ મંત્રીએ રાજાને કહ્યું “જ્યારે તમારે "વ્યસ્તવમાં પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે ગુરૂમહારાજને પૂછવું નહિ. એવી બાબતમાં આદેશ આપવાનો ભગવાનને અધિકાર નથી. તમારા જેવાએ દ્રવ્યસ્તવ ગ્ય અવસર જોઈને ઉચિત લાગે તે પ્રમાણે કરવું જોઈએ. તેઓશ્રી તો માત્ર દ્રવ્યસ્તવની અનુમોદના કરે છે એટલે બીજા કેઇ દ્રવ્યસ્તવ કરે છે તે હકીકતને તેના યથાસ્વરૂપમાં બેતાવે છે, તેના વખાણ કરે છે, તેને યોગ્ય સ્થાન આપવાની સૂચનાભલામણ કરે છે. એવા દ્રવ્યસ્તવને ગ્ય ઉપદેશ તેઓ અવસરે આપે છે. દાખલા તરીકે તેઓ ઉપદેશના ગર્ભમાં જણાવે છે કે મોટા પાયા ઉપર દેવની પૂજા કરવા યોગ્ય છે, દેવની પૂજા સિવાય ધનને ૧ વ્યસ્તવઃ સ્થૂળ વ્યવહારૂ ધર્મનું સ્વરૂપ. બાહ્ય ઉપકરણદ્વારા ધર્મનાં સાધના કરવાને પ્રચાર. દ્રવ્યપૂજા, ગુરૂને ઉપકરણદાન, આહારદાન, ઉજમણું વિગેરેનો દ્રવ્યસ્તવમાં સમાવેશ થાય છે, ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy