SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ 0ઈh t[ t[ Engin પ્રકરણ ૧૪ મું. અપ્રમાદ યંત્ર-મનીષી. ચાર્ય શ્રી પ્રબંધનરતિએ બાળનું ચરિત્ર તથા ભવિષ્ય વર્ણવ્યું અને તેનાં કારણે જણાવ્યાં તેને અંગે શત્રુમર્દન રાજાને ઘણું સવાલ થયા. નિજવિલસિત ઉદ્યાનમાં તેજ પ્રસંગે ત્યાર પછી રાજા આચાર્ય અને મંત્રી વચ્ચે નીચે પ્રમાણે પ્રશ્નોત્તર અને ખુલાસાએ થયા. એ આ પ્રસંગ બરાબર લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. વિદુરે નંદિવર્ધનને કહેવા માંડેલી વાર્તા આગળ ચલાવતાં તે કહે છે કે – શત્રમર્દન–“ભગવદ્ ! અકુશળમાળા માતા અને સ્પર્શન મિત્ર તે ઘણુ ભયંકર જણાય છે, કારણ કે બાળને જે જે દુઃખ પડ્યાં અને પડશે તે સર્વનું કારણ તેઓ બેજ છે.” આચાર્ય–“રાજન ! એની વાત શી કરવી? એના ભયંકરપણાની તો હદ આવી રહી છે!” સુબુદ્ધિ–“ભગવદ્ ! એ અકુશળમાળા અને સ્પર્શન એ બાળ ઉપરજ પિતાને પ્રભાવ ચલાવતા હશે કે બીજા પ્રાણીઓ ઉપર પણ તેઓની શક્તિ ચાલતી હશે?” આચાર્ય“મહામંત્રી ! એ બન્નેનું જોર પ્રત્યેક પ્રાણુ ઉપર ચાલે છે. અહીં તફાવત માત્ર એટલે છે કે બાળ ઉપર તેઓનું એટલું બધું જોર ચાલતું હતું કે તેઓનું રૂપ તદ્દન ઉઘાડું જાણુઈ આવતું હતું. બાકી પરમાર્થથી વિચાર કરવામાં આવે તો કર્મવાળા સર્વ સંસારી જી ઉપર તે બન્નેનો પ્રભાવ ચાલે છે. એટલા માટે અકુશળમાળાને યોગિની (જેગણું) કહેવામાં આવી છે અને સ્વર્શનને યોગી કહેવામાં આવ્યો છે. કેઈ વખત વ્યક્ત રૂપવાળા થવું અને કઈ વખત અદૃશ્ય થઈ જવું એવી શક્તિ તો યોગીઓમાંજ હોય છે અને તેથી આ બન્નેને યોગીના વર્ગમાં મૂકવામાં આવ્યા છે.” ૧ અનેક પ્રસંગે પૂર્વે વાર્તામાં તેઓએ પિતાની યોગશક્તિ બતાવી છે, દા. ખલા તરીકે જુઓ આ પ્રસ્તાવનું પ્રકરણ ૫ મું. પૃષ્ઠ ૪૦૦-૪૦૩, ૨ આ કટાક્ષ વચન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy